લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં વડાપ્રધાન મોદી સહિત અમિત શાહ અને આનંદીબેન પટેલ ગુજરાતમાં આવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તેઓ અમદાવાદથી મતદાન કરવાના છે.
તા.7 મી ના રોજ સવારે PM મોદી રાણીપની નિશાન વિદ્યાલયમાં મતદાન કરશે.

મહત્વનું છે કે ગુજરાતમાં આગામી તા. 7 મે ના રોજ લોકસભાનાં ત્રીજા તબક્કાનું મતદાન થનાર છે ત્યારે PM નરેન્દ્ર મોદી તા. 7 મે ના રોજ લોકસભાનાં ત્રીજા તબક્કાનું મતદાન કરવા માટે ગુજરાત આવનાર છે. તેઓ અમદાવાદ ખાતેના રાણીપ વિસ્તારમાં આવેલ નિશાન સ્કૂલમાં સવારે 8.30 કલાકે મતદાન કરશે.
આ સાથેજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ સ્થિત નારણપુરાની શાળામાં સવારે 9.30 વાગ્યે મતદાન કરશે.
રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ યુપીથી મતદાન કરવા માટે ગુજરાત આવશે અને અમદાવાદના શીલજમાં સવારે 10 વાગ્યે મતદાન કરશે.
આમ,મોટા ગજાના નેતાઓ મતદાન માટે ગુજરાતમાં આવશે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.