કન્નડ ફિલ્મ પ્રોડ્યુસર સૌંદર્ય જગદીશનું નિધન થયું છે.
અહેવાલો અનુસાર, જગદીશે તેમના ઘરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો બાદમાં તેમનું મૃત્યુ થયું હોવાનું કહેવામાં આવી રહ્યુ છે,જોકે,પોલીસ આ મામલામાં તપાસ કરી રહી છે.

કન્નડ ફિલ્મ પ્રોડ્યુસર અને બિઝનેસમેન સૌંદર્ય જગદીશનું આત્મહત્યાના પ્રયાસ બાદ મોત થયું છે.
પોલીસ અને નજીકના સૂત્રોએ રવિવારે પીટીઆઈને જણાવ્યું હતું કે નિર્માતાએ રવિવારે સવારે બેંગલુરુના મહાલક્ષ્મી લેઆઉટ સ્થિત તેમના નિવાસસ્થાને તેઓએ કથિત રીતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા તેમને તાત્કાલિક રાજાજીનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

જગદીશ ફિલ્મ નિર્માતા ઉપરાંત બિલ્ડર અને બિઝનેસમેન પણ હતા. શહેરમાં તેનું એક પબ પણ છે. અહેવાલો અનુસાર, જગદીશનું આ પબ તાજેતરમાં કેટલાક ફિલ્મી હસ્તીઓ અને ક્રૂ દ્વારા લેટ નાઇટ પાર્ટી કર્યા બાદ વિવાદમાં ફસાયું હતું, જેના કારણે તેનું લાઇસન્સ અસ્થાયી રૂપે રદ કરવામાં આવ્યું હતું.
જગદીશે સ્નેહિતરુ, અપ્પુ ઔર પપ્પુ, મસ્ત માજા માડી અને રામલીલા સહિત ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું.

કન્નડ ફિલ્મ પ્રોડ્યુસર અને બિઝનેસમેન સૌંદર્ય જગદીશના મોત મામલે પોલીસ તપાસ કરી રહી છે.