માર્ચ 2024ની શરૂઆતમાં એક જ દિવસમાં કેનેડાના દરિયાકાંઠે 2,000 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
જો વૈજ્ઞાનિકોનું માનીએ તો, આ આંચકા એ સંકેત હોઈ શકે છે કે ઊંડા સમુદ્રમાં મેગ્મેટિક વિચ્છેદન( Magmatic Rupture) દ્વારા એક નવા સમુદ્રી સ્તરનું સર્જન થવાનું હોઈ શકે છે,જે સંશોધન માટે ખૂબ અગત્યનો રહેશે.
જોકે, સારી વાત એ છે કે આ ભૂકંપના કારણે લોકોને કોઈ ખતરો નહોતો.

આ ધરતીકંપો ઓછી તીવ્રતાના હોવાનું કહેવાય છે, જેનું કેન્દ્ર વાનકુવર ટાપુના દરિયાકિનારે લગભગ 150 માઇલ (240 કિમી) દૂર એન્ડેવર સાઇટ નામના સ્થળે જોવા મળ્યું હતું. આ સ્થાન ઘણા હાઇડ્રોથર્મલ વેન્ટ્સ ધરાવે છે અને જુઆન ડી ફુકા રિજ પર છે. દરિયાની સપાટી ત્યાં સુધી વિસ્તરેલી છે.

યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં દરિયાઈ ભૂ-ભૌતિકશાસ્ત્રમાં ડોક્ટરલ ઉમેદવાર જો ક્રોસને ટાંકીને વિજ્ઞાન સમાચાર વેબસાઈટ ‘લાઈવ સાયન્સ’ના અહેવાલમાં જણાવાયું કે આ વિસ્તાર સબડક્શન ઝોન છે,જ્યાં એક ટેકટોનિક પ્લેટ બીજી પ્લેટની નીચે આવે છે.
આ એવો વિસ્તાર છે જે દરિયાકાંઠાની નજીક મોટા વિનાશક ધરતીકંપનું કારણ બની શકે છે.

જો ક્રોસના જણાવ્યા અનુસાર, “મધ્ય સમુદ્રના પટ્ટાઓ આટલા મોટા ધરતીકંપો ઉત્પન્ન કરવા સક્ષમ નથી,જો કે, તે માને છે કે આ ધરતીકંપો વૈજ્ઞાનિક રીતે રસપ્રદ છે કારણ કે તે સમુદ્રના તળ કેવી રીતે અલગ પડે છે અને નવા સ્તરો રચાય છે તેની વિગતો આપી શકે છે.

પેસિફિક પ્લેટ અને જુઆન ડી ફુકા પ્લેટ એન્ડેવર સાઇટ પર અલગ થઈ રહી છે.
આ સ્ટ્રેચિંગ લાંબી અને રેખીય ફોલ્ટ લાઇન બનાવે છે અને પોપડાને પાતળું કરે છે, જેના કારણે મેગ્મા વધે છે અને જ્યારે મેગ્મા સપાટી પર પહોંચે છે ત્યારે તે ઠંડુ થાય છે અને સખત બને છે, જે નવા સમુદ્રી પોપડાની રચના કરે છે.
જૉ ક્રોસે સમજાવ્યું કે આ ઘટનાઓ આશરે 20-વર્ષના ચક્ર પર થાય છે, જે પ્રદેશને શેડ્યૂલ પર રાખે છે. છેલ્લી વખત 2005 માં આવુ થયું હતું.