શિલોંગમાં નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જતી વેળાએ માર્ગ અકસ્માતમાં મોત

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
રવિવારે મોડી સાંજે રમતગમત જગત માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા જ્યારે તમિલનાડુના 18 વર્ષીય ટેબલ ટેનિસ ખેલાડી વિશ્વ દીનદયાલનનું માર્ગ અકસ્માતમાં મોત થયું. વિશ્વાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ પણ તેના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

નેશનલ સિનીયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ માટે જઇ રહ્યા ખેલાડીઓ
વિશ્વા સોમવારથી શરૂ થનારી વર્લ્ડ 83મી સિનિયર નેશનલ અને ઈન્ટર-સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ માટે ત્રણ સાથી ખેલાડીઓ સાથે ગુવાહાટીથી શિલોંગ જઈ રહ્યો હતો. વિશ્વા સાથે મુસાફરી કરી રહેલા અન્ય ત્રણ ખેલાડીઓ, રમેશ સંતોષ કુમાર, અવિનાશ પ્રસન્નાજી શ્રીનિવાસન અને કિશોર કુમારને ગંભીર ઈજાઓ થઈ હતી, પરંતુ સારવાર કરી રહેલા ડૉક્ટરોએ તેમને સ્થિર જાહેર કર્યા હતા તેમ ટીટીએફઆઈએ જણાવ્યું હતું. વિશ્વાને નોર્થ ઈસ્ટર્ન ઈન્દિરા ગાંધી રિજનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આયોજકો વિશ્વા અને તેના ત્રણ સાથીઓને હોસ્પિટલ લઈ ગયા હતા. વિશ્વા 27 એપ્રિલથી ઓસ્ટ્રિયાના લિન્ઝમાં WTT યુવા સ્પર્ધકોમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કરવાનો હતો.

દુષ્યંત ચૌટાલાએ 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે

તેમણે અકસ્માતમાં ટેક્સી ડ્રાઈવરના મૃત્યુ પર પણ શોક વ્યક્ત કર્યો છે. હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ પણ વિશ્વ દીનદયાલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમના પરિવાર માટે 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.