વડાપ્રધાન મોદી આજે શનિવારે સવારે અયોધ્યાની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા.
અયોધ્યા એરપોર્ટથી રોડ શો કરતા તેઓ અયોધ્યા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.
આ તકે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને બંને નાયબ મુખ્ય પ્રધાનો કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક ઉપરાંત, ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરી પણ અહીં હાજર હતા.
આજે ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં સર્વત્ર જય શ્રી રામના જયજયકાર સંભળાઈ રહ્યા છે,
અયોધ્યામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રામનગરીમાં પુનઃવિકાસિત રેલ્વે સ્ટેશન ‘અયોધ્યા ધામ’નું ઉદ્ઘાટન કર્યું હતું સાથેજ બે અમૃત ભારત અને છ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી.


આ દરમિયાન પીએમ મોદી કેટલાક મુસાફરો સાથે વાત કરતા જોવા મળ્યા હતા,તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા.
સત્તાવાર માહિતી અનુસાર, પુનઃવિકાસિત અયોધ્યા રેલ્વે સ્ટેશનનો પ્રથમ તબક્કો 240 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. અયોધ્યા ધામ જંકશન રેલ્વે સ્ટેશન તરીકે ઓળખાતું ત્રણ માળનું આધુનિક રેલ્વે સ્ટેશન લિફ્ટ, એસ્કેલેટર, ફૂડ પ્લાઝા, પૂજા જરૂરિયાતો માટેની દુકાનો, સલામતી રૂમ, બાળ સંભાળ રૂમ, વેઇટિંગ રૂમ જેવી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. નિવેદન અનુસાર, સ્ટેશન બિલ્ડિંગ ‘બધા માટે સુલભ’ અને ‘IGBC પ્રમાણિત ગ્રીન સ્ટેશન બિલ્ડિંગ’ હશે.

વડાપ્રધાન મોદીએ દેશમાં સુપરફાસ્ટ પેસેન્જર ટ્રેનોના નવા વર્ગ ‘અમૃત ભારત એક્સપ્રેસ’ને પણ લીલી ઝંડી બતાવી હતી. અમૃત ભારત ટ્રેન એ ‘LHB પુશ-પુલ’ ટ્રેન છે, જેમાં નોન-એર કન્ડિશન્ડ કોચ છે. તેમાં રેલ્વે મુસાફરો માટે સુંદર અને આકર્ષક ડીઝાઈનવાળી સીટો, સારી લગેજ રેક, મોબાઈલ ચાર્જીંગ પોઈન્ટ, એલઈડી લાઈટ, સીસીટીવી, પબ્લીક ઈન્ફોર્મેશન સીસ્ટમ જેવી વધુ સારી સુવિધાઓ છે.વડાપ્રધાનની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. ટ્રેનોની સાથે અયોધ્યાના લોકોને નવા અયોધ્યાધામ રેલવે સ્ટેશનની ભેટ મળી છે. તેનું નિર્માણ કાર્ય ત્રણ તબક્કામાં ચાલી રહ્યું છે. આ સ્ટેશનના નિર્માણ કાર્યનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. આ રેલવે સ્ટેશન 240 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન પીએમ મોદીએ કર્યું છે.