આખરે ભારતે કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો ન હોવાની વાતની સત્તાવાર પુષ્ટિ થઈ છે,ખુદ કેનેડાની તપાસમાં જ આ ખુલાસો થયો છે.

કેનેડાની તપાસમાં કેનેડામાં 2021ની ચૂંટણી પર દેખરેખ રાખતા વરિષ્ઠ અધિકારીઓએ કરેલી તપાસ દરમિયાન કોઈપણ રીતે ભારતની દખલ અથવા પ્રભાવ વિશે કોઈપણ પુરાવા મળ્યા નથી.
મહત્વનું છે કે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત ઉપર આરોપ લગાવ્યો હતો કે તેઓએ કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો,પણ આ વાત આખરે ખોટી સાબિત થઈ છે.

જો કે, કેનેડિયન ઈન્ટેલિજન્સ એજન્સીની તપાસમાં ભારત નહિ પણ ચીનનો હસ્તક્ષેપ હોવાનું ખુલ્યું છે.

કેનેડામાં છેલ્લી બે ચૂંટણીઓમાં ચીનનો હસ્તક્ષેપ હોવાની હકીકત સામે આવી છે.


જેમાં કેનેડામાં 2019 અને 2021માં યોજાયેલી બે સંઘીય ચૂંટણીઓમાં ચીને હસ્તક્ષેપ કર્યો હતો.
આનાથી જસ્ટિન ટ્રુડોને જીતવામાં મદદ મળી.
જોકે, ચીને આ આરોપોને ફગાવી દીધા હતા. આ પછી વિપક્ષી નેતાઓના
દબાણ હેઠળ, પીએમ ટ્રુડોએ આ મામલાની તપાસ માટે એક કમિશનની રચના કરી. ટ્રુડો પોતે આજે આ તપાસ એજન્સી સમક્ષ હાજર થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે કેનેડાએ આ આરોપ લગાવ્યો ત્યારે જ ભારતે આ આરોપ ફગાવતા કહ્યું હતું કે ઊલટાનું કેનેડા અમારા મામલામાં દખલ કરે છે થોડા દિવસો પહેલા ભારતના વિદેશ મંત્રાલયે ચૂંટણીમાં હસ્તક્ષેપના કેનેડાના દાવાને ફગાવી દીધો હતો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, કેનેડાના આરોપો પાયાવિહોણા છે. અન્ય દેશોની લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં દખલગીરી કરવી ભારત
સરકારની નીતિ નથી. કેનેડા જ આપણી આંતરિક બાબતોમાં દખલ કરી રહ્યું છે.”
ગયા વર્ષે કેનેડાની ચૂંટણીમાં દખલગીરી સંબંધિત રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે ચીને 2019ની ચૂંટણીમાં
11 ઉમેદવારોને સમર્થન આપ્યું હતું. એક કેસમાં $2.5 લાખથી વધુ આપવામાં આવ્યા હતા.
ચૂંટણીમાં દખલગીરીના મામલામાં ભારત અને ચીન ઉપરાંત રશિયાનું
પણ નામ આવે છે. કેનેડિયન મીડિયા અનુસાર, પંચ 3 મે સુધીમાં પ્રથમ તપાસ રિપોર્ટ રજૂ કરી શકે છે.
આખરી રિપોર્ટ વર્ષના અંત સુધીમાં આવશે.
ચીન પર આરોપ – પ્રોક્સી અભિયાન માટે પૈસા આપવામાં આવ્યા હતા
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે 2021ની ચૂંટણીમાં પણ ચીની ડિપ્લોમેટ અને પ્રોક્સી કેમ્પેઈન
માટે અઘોષિત રીતે પૈસા આપવામાં આવ્યા હતા.
ચૂંટણીમાં દખલગીરીની કામગીરી ટોરોન્ટોમાં આવેલા ચીની કોન્સ્યુલેટમાંથી ચલાવવામાં આવી રહી હતી. તેની પાછળનો હેતુ સાંસદોની ઓફિસમાં પોતાના લોકો
રાખવાનો અને નીતિઓને પ્રભાવિત કરવાનો હતો.