બિપ્લબ દેવના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રીની નિમણુંક, ગુજરાત અને ઉત્તરાખંડ બાદ હવે ત્રિપુરામાં ભાજપનાં મુખ્યમંત્રી બદલાયા

ત્રિપુરામાં બિપ્લબ દેબના રાજીનામા બાદ હવે ભાજપે માણિક સાહાને નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સાહાના નામ પર મહોર મારવામાં આવી હતી. બિપ્લબ દેબના રાજીનામા બાદ ઘણા નામો પર ચર્ચા થઈ રહી હતી જેમાં માનિક સાહાનું નામ પણ સામેલ છે. આખરે તમામ નેતાઓએ સાહાને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા. જે બાદ હવે તેઓ જલ્દી શપથ લઈ શકે છે અને સીએમ પદ સંભાળી શકે છે. માણિક સાહા રાજભવન જવા રવાના થઈ ગયા છે.

તમને જણાવી દઈએ કે માણિક સાહા ત્રિપુરા ભાજપના અધ્યક્ષ છે અને રાજ્યસભાના સાંસદ પણ છે. પાર્ટીએ ચૂંટણીના એક વર્ષ પહેલા જ તેમનામાં વિશ્વાસ વ્યક્ત કરીને તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી ત્રિપુરામાં બીજેપી નેતાઓને છોડવાની પ્રક્રિયા ચાલી રહી હતી અને તેની પાછળનું કારણ બિપ્લબ દેબને જણાવવામાં આવી રહ્યું હતું.