બ્રિટન ખાતેની ફાર્માસ્યુટિકલ કંપની AstraZenecaની કોરોના વેક્સીન પર આડઅસરને લઈને વિશ્વભરમાં ભારે હોબાળો મચ્યા બાદ કંપનીએ કોરોના રોગચાળા પછીની અપડેટેડ રસીઓની વિપુલતાને ધ્યાનમાં રાખીને તેમજ આડઅસરને ધ્યાને લઇ વિશ્વભરમાંથી તેની કોવિડ -19 રસી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે.

કંપનીએ યુરોપમાં વેક્સજાવરિયાની વેક્સીનની માર્કેટિંગ અધિકૃતતા પણ પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે.

એસ્ટ્રાઝેનેકાએ પણ સ્વીકાર્યું કે તેની કોવિડ રસી લેનાર દર્દીઓને લોહીના ગંઠાઈ જવા જેવી આડ અસરો થતી હોવાની વાત સામે આવ્યા બાદ વિશ્વભરમાં આ મામલે ભારે હોબાળો મચેલો છે.

એસ્ટ્રાઝેનેકાએ અન્ય કારણ આપતા કહ્યું કે ‘કોવિડની હવે ઘણી પ્રકારની નવી રસીઓ વિકસાવવામાં આવી હોવાથી તે અપડેટેડ રસીઓ હવે ઉપલબ્ધ હોય વેક્સજાવેરિયા રસીની માંગમાં ઘટાડો થતાં હવે તેનું ઉત્પાદન થતું નથી કે સપ્લાય પણ નહિ થતાં
આ વેકશીન પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટેલિગ્રાફના અહેવાલ મુજબ, કંપનીએ રસી પાછી ખેંચવાની અરજી 5 માર્ચે કરી હતી અને તે 7 મેના રોજ માન્ય બની હતી.

મહત્વનું છે કે એસ્ટ્રાઝેનેકાએ રસી બનાવવા માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે જોડાણ કર્યું હતું.
હાલમાં, કંપની કોર્ટમાં એક કેસનો સામનો કરી રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેની કોવિડ વેક્સિનને લીધે લોકોના મોત થઈ રહ્યાં છે અને ગંભીર શારીરિક નુકસાન થઈ રહ્યું છે.
યુકે સ્થિત ફાર્મા કંપનીએ ભારત સરકારને રસી સપ્લાય કરવા માટે વૈશ્વિક સ્તરે સૌથી મોટી વેક્સિન ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) સાથે હાથ મિલાવ્યા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે કોવિશિલ્ડ નામની રસી બનાવી હતી.
આમ,બ્રિટન ખાતેની ફાર્માસ્યુટિકલ કંપની AstraZenecaની વિવાદાસ્પદ કોરોના વેક્સીન હવે બંધ થઈ જશે.