કેન્દ્રિય આયુષ મંત્રાલય હસ્તકની અખિલ ભારતીયઆયુર્વેદ સંસ્થાએ ઓસ્ટ્રેલિયાની પશ્ચિમ સિડની યુનીવર્સીટી સાથે આયુર્વેદ અભ્યાસકેન્દ્ર સ્થાપવા બાબતે સમજુતી કરાર કર્યા છે.
અખિલ ભારત આયુર્વેદ સંસ્થાના નિયામકતનુજા નેસારી અને ઓસ્ટ્રેલિયાની સિડની યુનીવર્સીટીના પ્રોફેસર ગ્લોવરે વિડીયોકોન્ફરન્સીંગના માધ્યમથી યોજાયેલી બેઠકમાં સમજુતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. આસમજુતી મુજબ ઓસ્ટ્રેલિયાની સિડની યુનીવર્સીટીમાં આયુર્વેદ અંગે અભ્યાસક્રમ અનેસંશોધન પ્રવૃતિ ચલાવાશે.