સાયબર હુમલો ગુરુવારે સવારે લગભગ 7.30 વાગ્યે થયો, એરલાઈન્સના પ્રવક્તાએ સાઈબર હુમલાની પુષ્ટિ કરી
જાપાન એરલાઇન્સ ગુરુવારે સવારે સાયબર એટેક હેઠળ આવી છે. જેના કારણે મોટી સંખ્યામાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ શકે છે.
આ સાયબર હુમલો ગુરુવારે સવારે લગભગ 7.30 વાગ્યે થયો હતો. તેનાથી એરલાઈન્સની આંતરિક અને બાહ્ય સિસ્ટમ પર અસર પડી છે. એરલાઈન્સના પ્રવક્તાએ સાઈબર હુમલાની પુષ્ટિ કરી છે. પરંતુ તેમણે કહ્યું કે હાલમાં ફ્લાઇટના વિલંબ અથવા રદ કરવા અંગે કોઈ અપડેટ નથી.
દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે કે સાયબર હુમલાને કારણે એરલાઇન્સે ટિકિટનું વેચાણ બંધ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે જાપાન એરલાઈન્સ દેશની બીજી સૌથી મોટી એરલાઈન કંપની છે.