બાંગ્લાદેશમાં તા.7 જાન્યુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા હિંસાના બનાવોએ તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે.
જાણવા મળતી વિગતો મુજબ બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગોપીબાગ વિસ્તારમાં કોઈ ઈસમોએ ટ્રેનમાં આગ લાગાડતા ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા.
પેસેન્જર ટ્રેન બેનાપોલ એક્સપ્રેસના ચાર ડબ્બામાં આગ લાગી હતી. સ્થાનિક સમય અનુસાર રાત્રે 9 વાગ્યે ટ્રેન ઢાકા રેલવે સ્ટેશન તરફ આગળ વધી રહી હતી ત્યારે આગ ફાટી નીકળી હતી.
આરોપ છે કે લોકોને ડરાવવા અને સંસદીય ચૂંટણીમાં મતદાન કરવાથી રોકવાના હેતુથી ટ્રેનમાં આગ લગાડવામાં આવી હોઈ શકે છે,જેની તપાસ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે વિરોધ પક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. વિરોધ પક્ષોનું કહેવું છે કે જ્યારે શેખ હસીના વડાપ્રધાન પદ પર છે ત્યારે નિષ્પક્ષ ચૂંટણી થઈ શકે નહીં.

બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગોપીબાગ વિસ્તારમાં શુક્રવારે (5 જાન્યુઆરી) રાત્રે બદમાશોએ એક ટ્રેનમાં આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં 5 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટના રાત્રે 9.05 કલાકે બની હતી. ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સ કંટ્રોલ રૂમના ડ્યુટી ઓફિસર ફરહાદુઝમાને આ ઘટનાની પુષ્ટિ કરી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
પોલીસ અધિકારી અનવર હુસૈને કહ્યું કે તેમને શંકા છે કે આગ તોડફોડના કારણે લાગી છે.
બદમાશો દ્વારા લાગેલી આગ ટ્રેનના 5 કોચમાં ફેલાઈ ગઈ હતી.
હાલ પોલીસ જાનહાનિ અને નુકસાનની જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
આ ટ્રેન ઢાકાને બાંગ્લાદેશના સૌથી મહત્વપૂર્ણ બંદર બેનાપોલ સાથે જોડે છે.

આ પહેલા પણ તા.19 ડિસેમ્બરે એક ટ્રેનમાં આગ લાગી હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા.

વાસ્તવમાં, બાંગ્લાદેશમાં 12મી સામાન્ય ચૂંટણી માટે 7 જાન્યુઆરીએ મતદાન થશે. શેખ હસીના 2009થી વડાપ્રધાન છે અને 5મી વખત પીએમ પદના દાવેદાર છે.