આજે તા. 25મી ડિસેમ્બરે દેશભરમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ ખ્રિસ્તી ધર્મનો મુખ્ય તહેવાર છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
નાતાલના તહેવારને ખ્રિસ્તી ધર્મના સ્થાપક ભગવાન ઇસુના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે.
નાતાલના દિવસે, લોકો પોતાના ઘરોને સુંદર રીતે શણગારે છે, ક્રિસમસ ટ્રી લગાવે છે.
તેઓ ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે અને મીણબત્તીઓ પણ પ્રગટાવે છે.
આ ઉપરાંત લોકો તમામ પ્રકારની મનગમતી વાનગીઓ બનાવીને, પાર્ટીઓ કરીને અને કેક કાપીને
આ તહેવારની ઉજવણી કરે છે.

નાના બાળકો આ દિવસે તેમના સાન્તાક્લોઝની રાહ જુએ છે.
આ દિવસે બાળકોને ચોકલેટ અને ભેટ મળે છે.
આજે સવારથીજ લોકોએ એકબીજાને મોબાઈલમાં નાતાલની શુભેચ્છાઓ પાઠવતા મેસેજ મોકલવાનું શરૂ કર્યું હતું.
દેશભરમાં ક્રિસમસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના તમામ મુખ્ય શહેરોના ચર્ચોમાં આકર્ષક શણગાર કરવામાં આવ્યા હતા અને પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશના વિવિધ ભાગોમાં, લોકો ખૂબજ ઉત્સાહ સાથે મોડીરાત સુધી ખરીદી કરતા નજરે પડ્યા હત.
ક્રિસમસ નિમિત્તે પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની ભીડ ઉમટી છે.

ઉલ્લેખનીય છે કે નાતાલનો તહેવાર વર્ષના અંતમાં ઉજવવામાં આવે છે. આજે સમગ્ર વિશ્વમાં લોકો પોતપોતાની રીતે ક્રિસમસની ઉજવણી કરી રહ્યા છે.
ગુજરાત સહિત સમગ્ર ભારતના ચર્ચોમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે.
સમગ્ર વિશ્વમાં એકસાથે તા. 25 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે.
આ પ્રસંગે ચર્ચોને રોશની અને ફૂલોથી શણગારવામાં આવે છે.
ક્રિસમસનો તહેવાર માત્ર ખ્રિસ્તી સમુદાયના લોકો જ નહીં પરંતુ તમામ ધર્મના લોકો પણ ઉજવે છે અને થર્ટી ફર્સ્ટ સુધી ન્યુ ઈયર તરીકે ઉજવાય છે.
સમગ્ર વિશ્વમાં ક્રિસમસનો ઉત્સાહ છે. આ દિવસે લગભગ તમામ દેશોમાં રજા હોય છે. કેટલાક દેશોમાં, આ તહેવાર 1 થી 12 દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ દરમિયાન અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
નાતાલને મોટો દિવસ પણ કહેવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મગુરુઓ આ દિવસે વિશેષ પ્રાર્થના કરે છે અને લોકોને સુખ, શાંતિ અને પ્રેમથી જીવવાની પ્રેરણા આપે છે.
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં નાતાલની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.