ભારતે અમેરિકાના સિયેટલમાં કોન્સુલેટ ઓફિસ શરૂ કરવાનું વચન આપ્યું

પીએમ મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. દરમિયાન, અમેરિકા જવાનું સૌથી વધુ સપનું સેવતા ગુજરાતીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યું છે. વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે યુએસ બેંગલુરુ અને અમદાવાદમાં બે નવા કોન્સ્યુલેટ ખોલશે. તે જ સમયે, ભારત લોકો વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સિએટલમાં એક મિશનની સ્થાપના કરશે. આમ હવે ગુજરાતીઓએ અમેરિકાના વિઝા માટે વારંવાર મુંબઇ સુધીના ધક્કા નહીં ખાવા પડે.

અધિકારીએ જણાવ્યું હતું કે યુએસએ ગયા વર્ષે ભારતીય વિદ્યાર્થીઓને 125,000 વિઝા આપ્યા હતા. ભારતીય વિદ્યાર્થીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી મોટા વિદેશી વિદ્યાર્થી સમુદાય બનવા માટે તૈયાર છે, માત્ર છેલ્લા વર્ષમાં 20 ટકાના વધારા સાથે. આમ હવે સ્ટુડન્ટ કે વિઝિટર વિઝા પર જવા માગતા લોકોને આ કોન્સુલેટના ખુલ્યા બાદ રાહત મળશે.

રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર અને અમેરિકા પાસે માગ કરાઇ હતી
રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે માગણી કરવામાં આવી હતી કે ગુજરાતમાં અમેરિકન કોન્સ્યુલેટ સ્થાપવા માટે અમેરિકા સાથે વાતચીત કરવામાં આવે અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત યાત્રા વખતે પણ આ માગણી કરવામાં આવી હતી કે અમેરિકા કોન્સુલેટની સ્થાપના અમદાવાદમાં કરે. દાયકાઓથી પેન્ડિંગ આ મુદ્દાને રાજ્ય સરકાર દ્વારા ટ્રમ્પની મુલાકાત સમયે જ ઉઠાવવામાં આવી હતી. અમેરિકામાં ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાતીઓ વસે છે જેને ધ્યાને રાખીને આ માગણી કરવામાં આવી છે.

હવે મુંબઇના ધક્કા નહીં ખાવા પડે
જેથી અમેરિકાના વિઝા માટે ગુજરાતીઓને દર વખતે મુંબઈ જવાની જરુર પડે નહીં.’ અધિકારીએ વધુમાં કહ્યું કે, ‘અમેરિકાના વિઝા માટે એપ્લાય કરવામાં મોટાભાગના અરજદારો સીનિયર સિટિઝન હોય છે. જે અમેરિકામાં રહેતા તેમના પરિવારને મળવા માટે જાય છે.’ હાલ, ભારતમાં અમેરિકાના કોન્સ્યુલેટ નવી દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈમાં છે. ગુજરાત, દીવ-દમણ અને દાદર નગર હવેલીમાંથી અમેરિકાના વિઝા માટે એપ્લાય કરતા લોકોએ મુંબઈ જવું પડે છે. 

અધિકારીએ કહ્યું કે અમેરિકા બેંગલુરુ અને અમદાવાદમાં નવા કોન્સ્યુલેટ ખોલવા માંગે છે. ભારત સિએટલમાં તેનું કોન્સ્યુલેટ પણ સ્થાપશે. આ ઉપરાંત, તે યુએસમાં અન્ય નવા કોન્સ્યુલેટની જાહેરાત કરવા પણ ઉત્સુક છે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ આ વર્ષના અંતમાં કેટલાક પિટિશન-આધારિત અસ્થાયી વર્ક વિઝાના સ્થાનિક નવીકરણ અંગે નિર્ણય લેવા માટે એક પાયલોટ પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. ભારતમાં હાલમાં પાંચ દૂતાવાસ છે. આ દૂતાવાસો ન્યુયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, શિકાગો, હ્યુસ્ટન અને એટલાન્ટામાં સ્થિત છે.

ભારતની રાજધાનીમાં યુએસ એમ્બેસી એ વિશ્વના સૌથી મોટા યુએસ રાજદ્વારી મિશનમાંનું એક છે. માહિતી અનુસાર, દૂતાવાસ મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને હૈદરાબાદમાં ચાર વાણિજ્ય દૂતાવાસની પ્રવૃત્તિઓનું સંકલન કરે છે અને ખાતરી કરે છે કે સમગ્ર દેશમાં યુએસ-ભારત સંબંધો મજબૂત છે.