રશિયાએ યુક્રેન દ્વારા આતંકવાદી હુમલો હોવાનો આરોપ મૂક્યો, કહ્યું અમે હવે જવાબી કાર્યવાહી કરીશું

રશિયાએ યુક્રેન પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. રશિયાનું કહેવું છે કે પુતિનને મારવા માટે યુક્રેને રાષ્ટ્રપતિ નિવાસ ક્રેમલિન પર ડ્રોન વડે હુમલો કર્યો હતો. જોકે આ હુમલામાં પુતિનને કોઈ નુકસાન થયું નથી. તે સંપૂર્ણપણે સુરક્ષિત છે.

રશિયાએ બુધવારે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, પુતિનની હત્યાના પ્રયાસમાં ક્રેમલિન પર ગઈકાલે રાત્રે બે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રશિયાએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. રશિયાનું કહેવું છે કે તેણે યુક્રેન દ્વારા બનાવેલા બે ડ્રોનને તોડી પાડ્યા છે.

ક્રેમલિનનું કહેવું છે કે 9 મેના રોજ વિજય દિવસની પરેડ પહેલા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પુતિન પર ડ્રોન વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પુતિનને આમાં કોઈ નુકસાન થયું નથી. અમને બદલો લેવાનો અધિકાર છે. ડ્રોન હુમલા છતાં 9 મેના રોજ યોજાનારી વિજય દિવસની પરેડ સમયસર યોજાશે. ક્રેમલિનનું કહેવું છે કે આ ડ્રોન હુમલા છતાં રશિયામાં 9 મેના રોજ યોજાનારી પરેડને મોકૂફ રાખવામાં આવશે નહીં.

રશિયન સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે યુક્રેને “આતંકવાદીઓ” જેવા રશિયન રાષ્ટ્રપતિને મારવા માટે ડ્રોન મોકલ્યા હતા. અમને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે અને તેનો જવાબ આપીશું.”