દેશમાં લોકસભાની ચૂંટણીઓનો માહોલ છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે હવે ગુજરાતમાં પણ ત્રીજા તબક્કામાં 7 મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે અમિત શાહ, રાહુલ-પ્રિયંકા ગાંધી સહિત મોટા નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરી રહયા છે અને મોદીજી પણ આવી રહયા છે.
આવા સમયે નરેન્દ્રભાઈ મોદીનો વિદેશમાં રહેતા મૂળ ભારતીય પરિવારોમાં પણ ચૂંટણી અંગે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે અને વિદેશમાં અમેરિકા,ઓસ્ટ્રેલિયા, કેનેડા,ન્યુઝીલેન્ડ,લંડન,સહિતના દેશોમાં વસતા મૂળ ભારતીય સમુદાય માં PM મોદી ફરી વડાપ્રધાન બને તે માટે સ્થાનિક સ્તરે રેલી અને કાર્યક્રમો કરી ભારતમાં વસતા ભારતીયોને ભાજપને મત આપવા અપીલ કરાઈ હતી.
આવા સમયે હવે વિદેશમાં રહેતા NRI પરિવારો સ્વખર્ચે અમદાવાદ આવી ભાજપ માટે પ્રચાર શરૂ કર્યો છે અને કાર રેલીનું આયોજન કરી ગુજરાતમાં વિવિધ જગ્યાએ ફરી ભાજપને વોટ આપવા લોકોને અપીલ કરશે.
આજે અમદાવાદમાં કાર રેલી યોજાઈ હતી જેમાં વિદેશી ભારતીયો જોડાયા હતા તેઓએ કહ્યું કે તેઓ પોતાના ખર્ચે આ આયોજન કર્યું છે અને વિદેશમાં ભારતીયોનું ગૌરવ વધારનાર પીએમ મોદી માટે અમે પ્રચાર કરવા આવ્યા છીએ.