ભારતે પાકિસ્તાન પાસે લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને ખતરનાક આતંકવાદી હાફિઝ સઈદીને સોંપવાની માંગ કરી છે. આ સમાચાર પાકિસ્તાની મીડિયામાંથી આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતે પાકિસ્તાની વિદેશ મંત્રાલયને હાફિઝ સઈદના પ્રત્યાર્પણ માટે ઔપચારિક માંગ કરી છે. તમને જણાવી દઈએ કે હાફિઝ સઈદ પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. ભારત સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને હાફિઝ સઈદને ભારતને પ્રત્યાર્પણ કરવા માટે કાનૂની કાર્યવાહી શરૂ કરવાની અપીલ કરી છે. જો કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે હજુ સુધી આ અંગે કોઈ કાર્યવાહી કરી નથી.
![](https://b3037968.smushcdn.com/3037968/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-28-at-13.42.30_b07dfb92-jpg.webp?lossy=2&strip=1&webp=1)
તમને જણાવી દઈએ કે હાફિઝ સઈદ પાકિસ્તાની આતંકવાદી છે અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સ્થાપક છે અને હાફિઝ સઈદ જમ્મુ-કાશ્મીરમાં ઘણી આતંકી ઘટનાઓમાં સામેલ છે. તે ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ છે. હાફિઝ સઈદ 2008ના મુંબઈ આતંકવાદી હુમલા અને પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ છે. થોડા વર્ષો પહેલા સુધી હાફિઝ સઈદ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરતો હતો અને તેના સંગઠન માટે દાન એકત્રિત કરતો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યા પછી, વર્ષ 2019 માં, હાફિઝ સઈદની પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી અને તેને આતંકવાદને નાણાં પૂરા પાડવાના આરોપમાં 15 વર્ષની જેલની સજા થઈ. સજા ફટકારવામાં આવી હતી. ગત વર્ષે પણ પાકિસ્તાનની કોર્ટે હાફિઝ સઈદને આતંકવાદી ઘટનાઓ માટે પૈસા ભેગા કરવાના આરોપમાં 31 વર્ષની જેલની સજા ફટકારી હતી.
હાફિઝ સઈદ પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML) સાથે જોડાયેલો છે. આ પક્ષનું કહેવું છે કે તે એક રાજકીય પક્ષ છે અને તેમનું ચૂંટણી ચિન્હ ‘ખુરશી’ છે. પીએમએમએલના પ્રમુખ ખાલિદ મસૂદ સિંધુએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે તેમની પાર્ટી દેશના ઘણા પ્રાંતોમાંથી ચૂંટણી લડશે.
તેમણે કહ્યું, “અમે ભ્રષ્ટાચાર માટે નહીં પરંતુ લોકોની સેવા કરવા અને પાકિસ્તાનને ઇસ્લામિક કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે સત્તામાં આવવા માંગીએ છીએ.” તેઓ NA-130 લાહોરમાંથી ઉમેદવાર છે, જ્યાંથી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના સુપ્રીમો અને ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પણ ચૂંટણી લડી રહ્યા છે.
માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદની નવી પાર્ટી પણ ચૂંટણીમાં ભાગ લેવા જઈ રહી છે ત્યારે ભારતે તેના પ્રત્યાર્પણની માંગ કરી છે.