ભારત સરકાર પર વિઝા ન લંબાવવાનું કારણ ધરીને મોદી સરકારની કરી હતી ટીકા, હવે ઓસ્ટ્રેલિયન ટુડે અખબારે શ્રીલંકન મૂળની એબીસી રિપોર્ટર અવની ડાયસનું જુઠ્ઠાણું ઝડપ્યું

ABC Reporter, Avni Dias, Australia India News, Modi Government, Narendra Modi,

ઓસ્ટ્રેલિયાની પત્રકાર અવની ડાયસ નવી નોકરી અને લગ્ન માટે ઓસ્ટ્રેલિયા ગઈ છે. આ સનસનીખેજ માહિતી ઓસ્ટ્રેલિયા ટુડેએ જ આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે અવનીએ રાજકીય દબાણમાં ઓસ્ટ્રેલિયા પરત ફરવાનો નિર્ણય લીધો નથી. તે પોતાની નવી નોકરી અને લગ્નને કારણે ઓસ્ટ્રેલિયા પાછી ફરી હોવાનો દાવો ઓસ્ટ્રેલિયા ટુડે વેબસાઇટે કર્યો છે.

ઓસ્ટ્રેલિયન પત્રકાર અવની ડાયસે આ મહિનાની 20મી તારીખે ભારત છોડી દીધું હતું. અવનીએ દાવો કર્યો હતો કે ભારત સરકારે તેના વિઝાને લંબાવ્યો નથી. તે અહીં ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના દક્ષિણ એશિયા પ્રતિનિધિ તરીકે ભારતમાં કામ કરતી હતી. અવનીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ભારત સરકાર તેને ચૂંટણી કવરેજ કરવા દેતી નથી. આ પછી ભારત સરકારે અવનીના આ આરોપોને નકારી કાઢ્યા હતા. હવે ઓસ્ટ્રેલિયન ટુડેના એક અહેવાલમાં પણ સરકાર સામેના આરોપો ખોટા હોવાનો દાવો કર્યો છે.

….એટલે અવની પાછી ચાલી ગઈ
ABC ન્યૂઝે 1 મે, 2023ના રોજ તેના ફ્લેગશિપ પ્રોગ્રામ ફોર કોર્નર્સ માટે રિપોર્ટરની નિમણૂકની જાહેરાત કરી. તેની છેલ્લી તારીખ 21 મે 2023 હતી. 10 દિવસ પછી જ અવનીને ઈન્ટરવ્યુ માટે મેઈલ આવ્યો. નિમણૂક પ્રક્રિયાની જાણકારી ધરાવતા બે લોકોએ ધ ઓસ્ટ્રેલિયા ટુડેને જણાવ્યું કે ફોર કોર્નર્સે અવની ડાયસની નિમણૂક કરી છે અને તેણીની નિમણૂક જૂન 2023માં થશે. જો કે, એબીસીએ ફોર કોર્નર્સ ટીમને કહ્યું કે તેઓ ભારતમાં નવા સંવાદદાતાની વ્યવસ્થા કર્યા પછી જ અવનીને રિલીઝ કરી શકશે. 28 સપ્ટેમ્બરના રોજ, અવનીની જગ્યાએ મેઘના બાલીને ABCની નવી દિલ્હી સંવાદદાતા તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. ઑક્ટોબર 2023 થી જાન્યુઆરી 2024 સુધી, અવની મોટાભાગે રજાઓ પર રહી હતી.

ડિસેમ્બર 2023 માં લગ્ન કર્યા
અવની ડાયસ નવી નોકરી મેળવીને સિડની પહોંચી અને ડિસેમ્બર 2023માં શ્રીલંકાના રીતિ-રિવાજ મુજબ લગ્ન કરી લીધા હતા. આ પછી અવનીએ તેનું હનીમૂન માલદીવમાં મનાવ્યું હતું. જેની માહિતી તેણે ખુદ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી હતી. આ એ જ સમય હતો જ્યારે ભારતમાં રામ મંદિરના મહોત્સવની તૈયારીઓ ચાલી રહી હતી. આ પછી અવનીએ રામ મંદિર પર એક રિપોર્ટ લખ્યો હતો, જેની ભારે ટીકા થઈ હતી. ખાસ કરીને ભારતીય ઓસ્ટ્રેલિયન ઇમિગ્રન્ટ્સે હકીકતલક્ષી અચોક્કસતાઓ માટે અહેવાલની ટીકા કરી હતી.

વિઝા ન લંબાવવાનો દાવો પણ ખોટો
અવની ડાયસ પાસે J1 વિઝા હતા, જે વિદેશી પત્રકારોને આપવામાં આવ્યાહતા, કારણ કે તેણીએ જાન્યુઆરી 2022 માં નવી દિલ્હીમાં દક્ષિણ એશિયા બ્યુરોમાં જોડાઈ હતી. તેમની શંકાસ્પદ રિપોર્ટિંગ હોવા છતાં, સરકારે તેમને 2023 માં ફરીથી એક્સ્ટેંશન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયન ટુડે સાથે વાત કરતા, ભારતીય વિદેશ મંત્રાલયના બે લોકોએ જણાવ્યું કે અવની ડાયસે 18 એપ્રિલે વિઝા ફી ચૂકવી હતી, તે જ દિવસે તેના વિઝાને જૂનના અંત સુધી લંબાવવામાં આવ્યા હતા. વિઝા પછી, તેમના સુપરવાઈઝરે તેમને ભારતીય ચૂંટણીઓ કવર કરવાનું કહ્યું, પરંતુ અંતિમ નિર્ણય તેમના પર છોડી દીધો હતો. નોંધનીય બાબત એ છે કે અવનીએ વિઝા ફી ચૂકવતા પહેલા જ 12મી એપ્રિલે સિડની પરત જવા માટે ટિકિટ બુક કરાવી હતી.

અવનીના દાવાનો પર્દાફાશ
અવનીએ સોશિયલ મીડિયા પર વધુ એક દાવો કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેણે ભારત છોડવું પડ્યું કારણ કે તેને કહેવામાં આવ્યું હતું કે સરકાર તેના વિઝા રદ કરશે. જોકે સરકારે આ વાતને નકારી કાઢી હતી. વિદેશ મંત્રાલયના અધિકારીઓમાં, કોઈપણ અધિકારી ક્યારેય કોઈને ફોન કરતા નથી કારણ કે તેના વિઝાની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા ટુડે સાથે વાત કરતી વખતે, ભારતમાં કામ કરતા વિદેશી સંવાદદાતાઓમાંના એકે પણ કહ્યું કે અવની સાથે તેની વાતચીત મુજબ, અવની પાસે ભારત જેવા દેશમાં રિપોર્ટિંગ માટે જરૂરી ઊંડાણનો અભાવ હતો.