આમ આદમી પાર્ટીના વડા ગોપાલ ઇટાલિયાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત ટિપ્પણી બદલ ગુજરાતમાં દિલ્હી પોલીસે અટકાયત કરી હતી

આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને 3 કલાકની ધરપકડ બાદ દિલ્હી પોલીસે છોડી દીધા છે. આ દરમિયાન વાયરલ વીડિયો અંગે પૂછપરછ કરવામાં આવી હતી. તો બીજી તરફ આપના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે ગુજરાતના લોકોનું દબાણ વધતાં ગોપાલ ઈટાલિયાને છોડી દેવાયા છે. ગુજરાતના લોકોની જીત થઈ છે. દિલ્હી પોલીસ ઈટાલિયાને સરિતા વિહાર પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી.

આમ આદમી પાર્ટીના વડા ગોપાલ ઇટાલિયાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત ટિપ્પણી બદલ ગુજરાતમાં દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. પોલીસે તેમને થોડા કલાકો બાદ છોડી દીધા હતા. આના પર AAP પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું કે ગુજરાતની જનતા જીતી ગઈ.

સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું, “ગુજરાતની જનતાના ભારે દબાણને કારણે તેમણે ગોપાલ ઈટાલિયાને છોડવું પડ્યું. ગુજરાતની જનતા જીતી ગઈ.” જણાવી દઈએ કે ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)માં બોલાવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ દિલ્હીમાં NCW ઓફિસ પહોંચ્યા હતા. અહીંથી તેને દિલ્હી પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ લગભગ ત્રણ કલાક બાદ પોલીસે તેને છોડી દીધો હતો.

આ પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓએ ગોપાલ ઈટાલિયાની અટકાયતનો જોરદાર વિરોધ કર્યો હતો અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. AAP સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો હતો કે ભાજપ ગુજરાતની અંદર પાટીદાર સમુદાય વિરુદ્ધ નફરતથી ભરેલો છે. આ પહેલીવાર નથી, જ્યારે પણ ભાજપને તક મળી ત્યારે તેને જેલમાં ધકેલી દેવાનો અને ગોળી મારવાનો ઈતિહાસ છે. AAP નેતાએ કહ્યું કે હારથી ભાજપને આઘાત લાગ્યો છે, તેથી તે તેની સામે નવો વીડિયો લાવે છે. જેથી તેની ધરપકડ કરી હતી.

સંજય સિંહે કહ્યું કે, “હું પૂછવા માંગુ છું કે ભાજપ શા માટે પાટીદાર સમાજને નફરત કરે છે. ભાજપ ગોપાલને જેલમાં કેમ મોકલવા માંગે છે. સમગ્ર ગુજરાત ગોપાલ સાથે થતો અન્યાય, તેની સામે થયેલા ગુના જોઈ રહ્યું છે. આ અંગે સમગ્ર પાટીદાર સમાજમાં રોષ છે. ભાજપને ભડકાવવા માટે તેની સામે કામ કરશે. તમારી હાર ગુજરાતના માણસે આ અત્યાચારના કારણે લખી છે.”

આ તરફ ટ્વિટર વોરમાં ભાજપના નેતા અને મંત્રીઓ પણ જોડાઇ ગયા હતા. જેમાં સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે પીએમ મોદી માટે તો ગોપાલે ગંદી ભાષાનો ઉપયોગ કર્યો જ છે પરંતુ તેણે વડાપ્રધાનના માતાજી હીરા બા માટે પણ ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો છે.

ઈટાલિયાએ વીડિયોમાં PM મોદીને ‘નીચ’ કહ્યા
વાઇરલ થયેલા વીડિયોમાં ગોપાલ ઈટાલિયા એવું કહેતા દેખાય છે કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘નીચ’ વ્યક્તિ છે. હું પુષ્ટિ નથી કરી શકતો, પરંતુ હું તમને પૂછવા માગું છું કે શું દેશના કોઈપણ પૂર્વ વડાપ્રધાને આવી રીતે મત આપવાની નોટંકી કરી છે? આ ‘નીચ’ પ્રકારની વ્યક્તિ અહીં રોડ શો કરી રહી છે અને દેખાડી રહ્યા છે કે તેઓ દેશને કેવી રીતે ‘સી’ બનાવી રહ્યા છે. મારા કહેવાનો અર્થ તમે સમજી શકો છો. તેઓ ડિજિટલ ઈન્ડિયાની વાતો કરે છે અને મત આપવા દિલ્હીથી ગુજરાત આવે છે.”