ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ, સનરાઈઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સની ચીયર લીડર્સનો સેલરી એક સરખો

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 16મી આવૃત્તિ ચાલી રહી છે. તેનો ઉત્સાહ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ IPLમાં ગ્લેમર ઉમેરવા માટે ચીયરલીડર્સ ફરી એકવાર મેદાનમાં ઉતર્યા છે. કોરોના રોગચાળાને કારણે ચીયરલીડર્સને દૂર કરવામાં આવ્યા હતા. આઈપીએલમાં મોટાભાગના ચીયરલીડર્સ વિદેશી છે. જોકે કેટલાક ભારતીય ચહેરાઓ પણ દેખાઈ રહ્યા છે. ઘણા લોકોના મનમાં સવાલ ઉઠ્યો હશે કે ચીયરલીડર્સને કેટલા પૈસા મળે છે. આજે આપણે ફક્ત ચીયરલીડર્સની કમાણી અને પગાર વિશે વાત કરીશું. જણાવી દઈએ કે બાહુબલી ફેમ તમન્ના ભાટિયા પણ IPL 2023 ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે.

આઈપીએલ 2023માં ચીયરલીડરનો પગાર ? કઇ ટીમ આપે છે સૌથી વધુ પૈસા ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીયરલીડર્સને મેચ દીઠ પૈસા મળે છે. તેને મેચ દીઠ 14000 થી 17 હજાર રૂપિયા મળે છે. આઈપીએલની ટીમ પ્રમાણે તે બદલાઈ શકે છે. ક્રિકફેક્ટ્સનો અહેવાલ જણાવે છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ, સનરાઈઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ જેવી ટીમો તેમના ચીયર લીડર્સને મેચ દીઠ રૂ. 12,000થી વધુ ચૂકવે છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબી જેવી ટીમો તેને લગભગ 20,000 ચૂકવે છે. KKRની ચીયર લીડર્સને સૌથી વધુ પૈસા મળે છે. જે લગભગ 24,000 રૂપિયા છે. આ સિવાય સારા પ્રદર્શન પર અથવા ટીમને જીતવા પર બોનસ પણ મળે છે. પગાર ઉપરાંત ચીયરલીડર્સ પાસે રહેવા અને ખાવાની વૈભવી વ્યવસ્થા પણ હોય છે.

ચીયરલીડર્સ કેવી રીતે પસંદ કરવામાં આવે છે?
ચીયરલીડર તરીકે નોકરી મેળવવી એ અઘરી પ્રક્રિયા છે. આ માટે ઇન્ટરવ્યુ અને લેખિત પરીક્ષામાંથી પસાર થવું પડશે. એક ચીયરલીડરને ભીડની સામે નૃત્ય, મોડેલિંગ અને પ્રદર્શન કરવાનો અનુભવ હોવો જોઈએ.