હાલમાં લોકસભાની ચૂંટણીઓના માહોલ વચ્ચે રાજકીય પક્ષો પોત પોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહયા છે તે બધા વચ્ચે અખિલેશ યાદવે જો વિપક્ષના ગઠબંધન વાળી સરકાર બનેતો ઈડી અને સીબીઆઈ જેવી એજન્સી બંધ કરી દેવાની વાત કરી હતી
તેઓએ ઉમેર્યુ હતું કે એડી-સીબીઆઈ ડિપાર્ટમેન્ટનો ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
જો I.N.D.I.A. ગઠબંધનની સરકાર બનશે તો હું પોતે કેન્દ્ર સરકાર સમક્ષ પ્રસ્તાવ લાવીશ કે ઈડી અને સીબીઆઇને બંધ કરી દેવામાં આવે. આ બંને એજન્સીઓ બિનજરૂરી છે.

અખિલેશ યાદવનું કહેવું છે કે ઈડી અને સીબીઆઈ બંધ થવા જોઈએ કારણ કે તેના બદલે અન્ય ડિપાર્ટમેન્ટ છે જે તેઓનું કામ કરી લેશે.
જો કોઇ છેતરપિંડી કે કૌભાંડ કરશે તો તપાસ કરવા માટે આવકવેરા વિભાગ છે તે તપાસ જોઈ લેશે, સીબીઆઈની શું જરૂરી છે? દરેક રાજ્યમાં એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ પણ છે,જરૂર પડશે તો તેનો ઉપયોગ કરાશે.
ભાજપ દ્વારા ઈડી-સીબીઆઈનો ઉપયોગ પોતાના માટે જ કરવામાં આવી રહ્યો છે. 
સરકાર બનાવવા અને પાડી દેવા માટે ભાજપ ઈડી સીબીઆઈને હથિયાર તરીકે ઉપયોગમાં લે છે.
ખરેખર તો નોટબંધીના સમયે આ એજન્સીઓએ તપાસ કરવી જોઇતી હતી ત્યારે કેમ ન કરી?
કાળા નાણા સફળતાપૂર્વક વ્હાઈટ કેવી રીતે થઈ ગયા ? આવી એજન્સીઓ ત્યારે તપાસ કરવામાં નિષ્ફળ રહી હતી.
આમ,જે કરવાનું છે તે નથી થતું અને રાજકીય મામલામાં આ એજન્સીઓ પાસે કામ લેવામાં આવી રહ્યું હોય તે બન્ને એજન્સી કોઈ કામની નહિ હોય જો વિપક્ષના ગઠબંધનની સરકાર બનશે તો આ બને એજન્સીઓ બંધ કરી દેવાશે.