ઋષિ સુનકે કહ્યું- વેપાર ડીલ અંગે ભારત સાથે વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM મોદી) G20 સમિટમાં ભાગ લીધા બાદ ઇન્ડોનેશિયાના બાલીથી ભારત જવા રવાના થયા છે. પીએમ મોદી બે દિવસીય G20 સમિટમાં ભાગ લેવા માટે બાલીમાં હતા. કોન્ફરન્સનો મંગળવારથી પ્રારંભ થયો હતો. PM મોદીએ G-20 સમિટની બાજુમાં યુએસ પ્રમુખ જો બિડેન, યુકેના વડા પ્રધાન ઋષિ સુનક, ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને અન્ય ઘણા વિશ્વ નેતાઓ સાથે અનૌપચારિક વાતચીત કરી હતી અને ઘણા મુદ્દાઓ પર મંતવ્યો શેર કર્યા હતા.

બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે આજે (16 નવેમ્બર) G20 સમિટમાં કહ્યું હતું કે, “તેઓ ભારત સાથે વેપાર સોદા માટે પ્રતિબદ્ધ છે.” બાલીમાં G20 સમિટ દરમિયાન મીડિયા સાથેની વાતચીત દરમિયાન સુનાકે એમ પણ કહ્યું હતું કે, “તેમનું માનવું છે કે બ્રિટન અને અમેરિકા તેમના આર્થિક સંબંધો સુધારી શકે છે, પરંતુ તેમણે યુએસ પ્રમુખ જો બાઇડનને વેપાર સોદા વિશે પણ પૂછ્યું હતું.”

G-20નું અધ્યક્ષપદ ભારતને સોંપવામાં આવ્યું
યુકેના વડા પ્રધાન ઋષિ સુનકનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇન્ડોનેશિયાએ બાલી સમિટમાં આગામી વર્ષ માટે G20નું અધ્યક્ષપદ ભારતને સોંપ્યું છે. સાથે જ પીએમ મોદીએ તેને દરેક ભારતીય નાગરિક માટે ગર્વની વાત ગણાવી છે. બાદમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું, “અમે મજબૂત ભારત-યુકે સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ. બાલીમાં પીએમ ઋષિ સુનકને મળવું ખૂબ સરસ હતું. અમે ભારતના સંરક્ષણ સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરીને વેપાર સંબંધો, સુરક્ષા વધારવાની ચર્ચા કરી.” સહયોગનો અવકાશ અને લોકો-થી-લોકોના સંબંધોને વધુ મજબૂત બનાવવું અમારી બેઠકના મુખ્ય મુદ્દા હતા”