BAPS, શિવ-વિષ્ણુ મંદિર બાદ હવે ઇસ્કોન ટેમ્પલમાં ખાલિસ્તાનીઓની તોડફોડ, ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધી સૂત્રો લખીને રોષ વ્યક્ત કર્યો

ઓસ્ટ્રેલિયામાં સ્થિત હિન્દુ મંદિરોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. છેલ્લા 12 દિવસમાં ત્રીજા હિન્દુ મંદિરને ખાલિસ્તાનીઓએ કાયરતાપૂર્ણ રીતે ટાર્ગેટ કર્યું છે. આ વખતે હુમલો મેલબોર્નના આલ્બર્ટ પાર્ક સ્થિત ઈસ્કોન મંદિર પર કરવામાં આવ્યો છે. ઇસ્કોન મંદિરની અંદરના ગ્રાફિટી બનાવીને ભારત વિરોધી સૂત્રોચ્ચાર સાથે વિકૃતતાનું પ્રદર્શન કર્યું હતું. સોમવારે સવારે મંદિરમાં તોડફોડ કરવાની સાથે તેની દિવાલ પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે અને “ખાલિસ્તાન ઝિંદાબાદ”ના નારા પણ લગાવવામાં આવ્યા છે તો બીજીતરફ પીએમ મોદી અને ભારત વિરોધી વલણ તેમની ગ્રાફિટી પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઓસ્ટ્રેલિયન સરકાર સમક્ષ ભારતે નારાજગી વ્યક્ત કરી છે કે તેઓ ખાલિસ્તાની રેફરેન્ડમ પર કાર્યવાહી કરે.

ઓસ્ટ્રેલિયામાં કથિત રીતે ખાલિસ્તાની સમર્થકો દ્વારા વધુ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. મંદિરની દિવાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નફરતથી ભરેલા નારા લખવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા બે સપ્તાહ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવાની આ ત્રીજી ઘટના છે. હિન્દુ મંદિરોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મંદિરની દિવાલો પર ‘હિન્દુસ્તાન મુર્દાબાદ’, ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ જેવા ભારત વિરોધી નારા લગાવવામાં આવ્યા છે.

એટલું જ નહીં, ખાલિસ્તાન સમર્થકોએ 20 હજારથી વધુ હિંદુઓ અને શીખોની હત્યા માટે જવાબદાર આતંકવાદી ભિંડરાનવાલાને શહીદ ગણાવ્યો હતો. આવી ઘટનાઓ પર નજર કરીએ તો અગાઉ પણ મંદિરોની દિવાલો પર આવા નારા લખવામાં આવ્યા હતા.

મેલબોર્નમાં ભક્તિ યોગ ચળવળના પ્રસિદ્ધ કેન્દ્ર એવા ઇસ્કોન મંદિરની દીવાલને “ખાલિસ્તાન ઝિંદાબાદ” ગ્રેફિટીથી વિકૃતતા એ ભારતની સિદ્ધિઓ અને વિશ્વમાં જે પ્રકારે આગવી ઓળખ બની રહી છે તે વિરુદ્ધની એક હતાશા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મંદિરના સત્તાવાળાઓએ પૂજા સ્થળ પર થયેલી તોડફોડ અને નુકસાન અંગે આશ્ચર્ય અને નારાજગી વ્યક્ત કરી છે. અવારનવાર હુમલાની ઘટનાઓને લઈને વિક્ટોરિયન બહુસાંસ્કૃતિક આયોગ સાથે બે દિવસ પહેલા ઈમરજન્સી બેઠક યોજાઈ હતી. આ પછી વિક્ટોરિયન મલ્ટિફેથ નેતાઓ દ્વારા ફરીથી તોડફોડની રજૂઆત કરવામાં આવી છે. 12 જાન્યુઆરીએ, મેલબોર્નમાં સ્વામિનારાયણ મંદિરમાં સમાન ભારત વિરોધી સૂત્રોચ્ચાર સાથે તોડફોડ કરવામાં આવી હતી. પરંતુ 5 દિવસ પછી, જ્યારે ભક્તો પોંગલ તહેવારની ઉજવણી કરવા કેરમ ડાઉન્સ પહોંચ્યા, ત્યારે શ્રી શિવ વિષ્ણુ મંદિરમાં ખાલિસ્તાની વિકૃતાઇ જોવા મળી હતી.

હુમલા પછી, ભારતમાં ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનરે ઘટનાઓ પર આઘાત વ્યક્ત કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે સત્તાવાળાઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે “ઓસ્ટ્રેલિયા એક ગૌરવપૂર્ણ, બહુસાંસ્કૃતિક દેશ છે,” મેલબોર્નમાં બે હિન્દુ મંદિરોની તોડફોડથી તેમને આઘાત લાગ્યો હતો. “અભિવ્યક્તિની સ્વતંત્રતા માટેના અમારા મજબૂત સમર્થનમાં અપ્રિય ભાષણ અથવા હિંસાનો સમાવેશ થતો નથી,” વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, ભારત અને ઓસ્ટ્રેલિયાની સરકારોએ આ મુદ્દે ચર્ચા કરી હતી. “અમે આ ક્રિયાઓની સખત નિંદા કરીએ છીએ,” તેમણે કહ્યું, મેલબોર્નમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે સ્થાનિક પોલીસ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે.