ચેન્નાઈ: કોઈમ્બતુર લોકસભા મતવિસ્તારની મતદાર યાદીમાંથી પોતાનું નામ કાઢી નાખવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરીને હાલમાં ઓસ્ટ્રેલિયામાં ફરજ બજાવતા એક ભારતીય ડૉક્ટરે મદ્રાસ હાઈકોર્ટમાં આ મામલે અરજી કરી છે,

જેમાં ચૂંટણી પંચને તેમનો મત પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે.

આ અરજી કોઈમ્બતુરના નંજુંદાપુરમના આર સુથાન્થિરા કન્નને દાખલ કરી હતી. તેમણે કહ્યું કે તે પોતાની “મૂળભૂત મતદાતા તરીકેની ફરજ” પૂરી કરવા માટે 13 એપ્રિલે ભારત આવ્યા હતા. જોકે તેઓ મતદાન કરી શક્યા નહી કેમકે તેઓના અને તેમની પત્નીના નામ મતદાર યાદીમાંથી ગાયબ હોવાનું સામે આવ્યું હતું તે જાણીને તેઓ ચોંકી ગયા હતા, પરંતુ એ જ સરનામે રહેતી તેમની પુત્રીનું નામ મતદાર યાદીમાં સામેલ હતું.

તેઓએ આ અંગે ભારતના ચૂંટણી પંચના ઓનલાઈન પોર્ટલ દ્વારા ફરિયાદ નોંધાવી હતી અને તેને યોગ્ય રીતે સ્વીકારવામાં આવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમની આસપાસ રહેતા ઘણા લોકો કે જેઓ અગાઉની ચૂંટણીમાં મતદાન કરી રહ્યા હતા,પણ તેમના નામ મતદાર યાદીમાં કાઢી નાખવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે, અધિકારીઓએ લોકસભાની ચૂંટણી માટે યાદીઓ તૈયાર કરી તે મનસ્વી અને બિનકાર્યક્ષમ રીતે થઈ હતી.
તેમણે અરજીમાં જણાવ્યું હતું કે 19 એપ્રિલના રોજ હજારો મતદારો મતદાન કરવા માટે મતદાન મથક પર ગયા ત્યારે તેમના નામ યાદીમાં જોવા મળ્યા હતા.

કન્નને વધુમાં જણાવ્યું હતું કે જ્યારથી તેમના અને તેમની પત્નીના નામ હટાવવામાં આવ્યા છે, ત્યારથી તેઓ મત આપવાનો અને તેમના પ્રતિનિધિને ચૂંટવાનો તેમનો મૂળભૂત અધિકાર ગુમાવી ચૂક્યા છે. “આ ચૂંટણી દરમિયાન મત આપવાના અધિકારથી વંચિત થવું એ બંધારણની કલમ 19 હેઠળ બાંયધરી આપવામાં આવેલા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે.

તેમણે કોર્ટને વિનંતી કરી કે તેઓ ચૂંટણી પંચને મતદારોના નામ સામેલ કરવા અને તેમને મતદાન કરવાની તક આપવા નિર્દેશ આપે.
જ્યાં સુધી આ મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં ન આવે ત્યાં સુધી તેમણે મત ગણતરી સ્થગિત કરવાના નિર્દેશો પણ માંગ્યા હતા.