રિષભ પણ રવીન્દ્ર જાડેજાની જેમ લિગામેન્ટની ઈજાનો શિકાર બન્યો

Rishabh pant injury update, ddca Rishabh Pant, રિષભ પંત અકસ્માત, BCCI,

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત લગભગ 6 મહિના માટે બહાર રહી શકે છે. કાર અકસ્માત બાદ તેને દેહરાદૂનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેને મુંબઈ શિફ્ટ કરવામાં આવ્યો છે. રિષભ પણ રવીન્દ્ર જાડેજાની જેમ લિગામેન્ટની ઈજાનો શિકાર બન્યો છે. રિષભની સર્જરી કરવામાં આવશે. આ કારણોસર, તેણે લાંબા સમય સુધી બહાર બેસી રહેવું પડી શકે છે.

રિષભને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે બીસીસીઆઈએ કહ્યું છે કે ઋષભ પંતના લિગામેન્ટની ઈજા બાદ સર્જરી કરવામાં આવશે. આ કારણોસર, તેઓ લાંબા સમય સુધી બહાર રહી શકે છે. પંતને મુંબઈ પહેલા દેહરાદૂનમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીંથી સારવાર પૂરી થયા બાદ તેમને મુંબઈ ખસેડવામાં આવ્યા હતા, જેથી સર્જરી પૂરી થઈ શકે.

રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાની ઈજામાં સમાનતા જોવા મળી છે. આ બંને ખેલાડીઓ લિગામેન્ટની ઈજાનો ભોગ બન્યા છે. પંત પહેલા રવિન્દ્ર જાડેજા એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. વાસ્તવમાં લિગામેન્ટની ઇજા અથવા અસ્થિબંધન ફાટી બંને એક જ સમસ્યા છે. લિગામેન્ટએ તંતુમય પેશીઓનો સખત પટ્ટો છે. તે હાડકાને હાડકા સાથે જોડવાનું કામ કરે છે. લિગામેન્ટખૂબ જ મજબૂત છે. પરંતુ ઈજાને કારણે તે ફાટી પણ શકે છે. તેને અસ્થિબંધન ઇજા અથવા લિગામેન્ટ ફાટ્યા હોવાનું કહેવામાં આવે છે.

નોંધપાત્ર વાત એ છે કે, ઈજાગ્રસ્ત થયા બાદ જાડેજાએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સર્જરી કરાવી હતી. તે પહેલાથી જ ટીમ ઈન્ડિયાની બહાર છે. એશિયા કપ દરમિયાન જાડેજાને ઈજા થઈ હતી. પરંતુ હવે તેઓ મેદાનમાં પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, ડોક્ટર્સનું કહેવું છે કે જાડેજાની જેમ પંતનું લિગામેન્ટ પણ ફાટી ગયું છે. તેથી તેઓ લાંબા સમય સુધી બહાર રહી શકે છે.