રોહિત શર્મા ટેસ્ટ અને વન ડે ટીમનો કેપ્ટન, ઋતુરાજ ગાયકવાડ અને કિશનનો બંન્ને ટીમમાં સમાવેશ, સંજુ સેમસનની વન ડે ટીમમાં વાપસી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ, ODI અને T20 સિરીઝ રમાશે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. રોહિત શર્મા વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ટીમની કપ્તાની કરશે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ખૂબ જ સંતુલિત ટીમ પસંદ કરી છે. જેમાં અનુભવી ખેલાડીઓની સાથે યુવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે.

ભારતીય ટીમે ઋતુરાજ ગાયકવાડનો ટેસ્ટ અને વનડે બંને ટીમમાં સમાવેશ કર્યો છે. અજિંક્ય રહાણેને વાઇસ કેપ્ટન તરીકે ટીમમાં તક આપવામાં આવી છે. ટીમે ફરી એકવાર કેએસ ભરતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. યશસ્વી જયસ્વાલ પણ ટીમનો એક ભાગ છે. મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની અને ઈશાન કિશનને તક આપવામાં આવી છે. કિશને હજુ ટેસ્ટમાં પદાર્પણ કરવાનું બાકી છે. ઈશાનને વનડે અને ટેસ્ટ બંને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. રવિચંદ્રન અશ્વિનનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડી ચેતેશ્વર પૂજારાને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. પુજારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કંઇ ખાસ કરી શક્યો નહોતો. તે બેટિંગ દરમિયાન ઘણો સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.

ભારતની ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), કેએસ ભરત (વિકેટ કીપર), ઇશાન કિશન (વિકેટ કીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મો. સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.

ભારતની વનડે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટ-કીપર), ઈશાન કિશન (વિકેટ-કીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ. સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.