જિલ્લા પંચાયતો ના આ સભ્યો સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતમાં પંચાયતી રાજ વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટેની જે કામગીરી થઇ છે તેમાં પંચાયતના સભ્યો ના યોગદાન અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી ગ્રામીણ સ્તરે પણ જન સમુદાય સુધી વ્યાપક બનાવવામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સભ્યોની ભૂમિકા પણ વડાપ્રધાનશ્રી એ સમજાવી હતી.