પીએમ મોદીએ ગાંધીનગર પહોંચીને માતા હીરાબેનનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો. પીએમ મોદીએ માતાના પગ ધોયા અને શાલ પણ ભેટમાં આપી.

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનો આજે 100મો જન્મદિવસ છે. પીએમ મોદી તેમની માતાના શતાબ્દી જન્મદિવસના ખાસ અવસર પર ગાંધીનગર નિવાસે પહોંચીને આશિર્વાદ લીધા હતા. પીએમ મોદીએ માતાના સારા આયુષ્ય માટે ઘરે પૂજા પણ કરી હતી અને માતાના પગ ધોઇને પાણી માથે ચઢાવ્યું હતું. પીએમ મોદીએ જન્મદિને માતાને ભેટમાં શાલ પણ આપી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાજીની પૂજા કરી તેમના આશીર્વાદ લીધા હતા. વડાપ્રધાન મોદી પણ માતાના પગ પાસે બેસીને તેમની સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ પહેલા પીએમ મોદીના માતા હીરાબેન તેમના સોમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે તે પ્રસંગે તેમના ઘરે વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

PM મોદીના ભાઈએ ગૃહમાં વિશેષ પૂજા કર્યા બાદ હાજર તમામ લોકોના મોં મીઠા કરાવ્યા હતા. પીએમ મોદીએ તેમની માતા હીરાબેન સાથે ઘરે બનાવેલા મંદિરમાં પૂજા પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાનો જન્મદીન મનાવીને સીધા જ પાવાગઢા પહોંચ્યા હતા.

વડાપ્રધાનના આગમનને લઈને ગાંધીનગરમાં રાયસણ ખાતે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત રાયસણ ગામ તરફ નિવાસસ્થાનના રૂટ પર પણ પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પીએમ મોદી પાવાગઢ પહોંચ્યા બાદ માતા કાલીનું પૂજન કર્યું હતું. પીએમ મોદીને પાવાગઢના કાલી મૈયામાં અતૂટ શ્રદ્ધા છે અને આ જ કારણ છે કે તેઓ તેમની માતાના 100માં વર્ષમાં પ્રવેશ કરવાના વિશેષ અવસર પર પ્રાર્થના કરવા અહીં પહોંચ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે 500 વર્ષ પછી એવો પ્રસંગ આવ્યો છે, જ્યારે મંદિરની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવી છે. આ મંદિરનો ઈતિહાસ ઘણો જૂનો છે. પાવાગઢના મંદિરમાં માત્ર મા કાલીનાં જ દર્શન થાય છે. અહીં પહોંચવા માટે પહેલા રોપ-વેનો સહારો લેવો પડે છે અને ત્યારબાદ 250 પગથિયાં ચડવા પડે છે.