ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના બેરીનાગ સ્થિત લીલાધર પાઠકની દુકાનમાંથી ખાદ્ય સુરક્ષા અધિકારીએ સપ્ટેમ્બર 2019માં પતંજલિ નવરત્ન ઈલાયચી સોન પાપડીના સેમ્પલ લઈ તેને રૂદ્રપુર ખાતે લેબમાં તપાસ માટે મોકલ્યા હતા જે સેમ્પલ ફેલ થતાં આ પ્રકરણમાં પિથોરાગઢના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સંજય સિંહની કોર્ટે શનિવારે પતંજલિ આયુર્વેદ લિમિટેડના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અભિષેક કુમાર, કાન્હા જી ડિસ્ટ્રિબ્યુટર પ્રાઈવેટ લિમિટેડ, રામનગરના આસિસ્ટન્ટ મેનેજર અજય જોશી અને દુકાનદાર લીલાધર પાઠકને 6 મહિનાની કેદ અને દંડની સજા ફટકારી છે.
પાંચ વર્ષ પહેલાના આ કેસમાં પિથોરાગઢના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સંજય સિંહની કોર્ટે શનિવારે પતંજલિ આયુર્વેદ લિમિટેડના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અભિષેક કુમાર, કાન્હા જી ડિસ્ટ્રિબ્યુટર પ્રાઈવેટ લિમિટેડ, રામનગરના આસિસ્ટન્ટ મેનેજર અજય જોશી અને દુકાનદાર લીલાધર પાઠકને 6 મહિનાની કેદ અને દંડની સજા ફટકારતા સંબંધિત વર્તુળોમાં ફફડાટ ફેલાયો છે.
શનિવારે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની કલમ 59 હેઠળ ત્રણેય આરોપીઓને 6 મહિનાની કેદ અને દુકાનદાર લીલાધર પાઠકને રૂ.5,000, કાન્હા જી ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇવેટ લિમિટેડના આસિસ્ટન્ટ મેનેજર અજય જોશીને રૂ.10,000ની સજા ફટકારી હતી અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ યુનિટ III, પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્ક લક્સરના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અભિષેક કુમારને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો તેઓ આમ નહીં કરે તો તેમને અનુક્રમે 7 દિવસથી 6 મહિનાની વધારાની કેદની સજા ભોગવવી પડશે. આ કેસમાં ફરિયાદી વતી આસિસ્ટન્ટ પ્રોસિક્યુશન ઓફિસર રિતેશ વર્મા હાજર થયા હતા.