જેસલમેરમાં બેન્ડ બાજા બારાત સાથે શાહી લગ્ન

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલોનું એક છે. 7 ફેબ્રુઆરી સિદ્ધાર્થ અને કિયારાના જીવનનો સૌથી સુંદર દિવસ બની ગયો છે. બંનેએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા ફરીને લગ્ન કરી લીધા હતા. અત્યંત ગણ્યાગાંઠા લોકો, પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં કપલે પ્રભુતામાં પગલાં પાડીને જીવનભર એકબીજાનો સાથ નિભાવવામાં કોલ કર્યાં હતા. આ શુભ પ્રસંગે બન્નેના પરિવાર અને મિત્રોએ તેમને આશીર્વાદ આપ્યાં હતા.

જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં વરરાજા સિદ્ધાર્થે ‘બાર બાર દેખો’નું પ્રખ્યાત ગીત ‘કાલા ચશ્મા’ પર એન્ટ્રી મારી હતી. બેન્ડવાજા સાથે સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નનો વરઘોડો શાહી અંદાજમાં નીકળ્યો હતો. તેમના લગ્નની તૈયારીઓ પણ જબરદસ્ત હતી. હોટલમાં બપોરે 2 વાગ્યે સમારોહ શરૂ થયો હતો. વરરાજા સિદ્ધાર્થને સાફો બાંધવામાં આવ્યો હતો. વરઘોડામાં વિન્ટેજ ગાડીઓ, ઊંટો અને ઘોડાઓના કાફલાઓ શરૂ થયા. સૂર્યગઢની બાવડી પર લગ્નના મંડપને સજાવવામાં આવ્યો હતો. લગ્ન પંજાબી રીતિ રિવાજ મુજબ થયા હતા. બંનેના લગ્ન માટે બધા જ ખૂબ જ ઉત્સાહિત હતા.