કોર્ટે સર્વે માટે નિયુક્ત એડવોકેટ કમિશનર અજય કુમાર મિશ્રાને હટાવવાનો ઇનકાર કર્યો
![](https://b3037968.smushcdn.com/3037968/wp-content/uploads/2022/05/images-5-2022-05-12T142606.117.jpeg?lossy=1&strip=1&webp=0)
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને લઈને કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે સર્વે માટે નિયુક્ત એડવોકેટ કમિશનર અજય કુમાર મિશ્રાને હટાવવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે કોર્ટે 17 મે પહેલા જ્ઞાનવાપી મસ્જિદના બેઝમેન્ટનો સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સર્વેનો આગામી રિપોર્ટ 17 મેના રોજ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.