ભારતમાં અગામીતા.22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરનો ઉદ્ઘાટન સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ સમયે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે.
પન્નુએ મુસ્લિમોને આ સમારોહનો વિરોધ કરવા કહ્યું છે.
એક વીડિયોમાં પન્નુએ કહ્યું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન અમૃતસરથી અયોધ્યા સુધીના એરપોર્ટ બંધ કરાવી દઈશું.

કેનેડાથી બ્રિટન અને ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધીમાં ખાલિસ્તાન તરફી ગતિવિધિઓ કરનાર ગુરપતવંત સિંહ પન્નુ આતંકવાદી સતત ભારત વિરોધી ઝેર ઓકતો રહે છે.

પન્નુએ પોતાના નવા વિડિયોમાં કહ્યું, મુસ્લિમો, હવે સમય આવી ગયો છે કે તમે ભારતમાં ઉર્દૂસ્તાન બનાવો.
તા.22 જાન્યુઆરીએ મુસ્લિમો વિરુદ્ધ મોદીનું ઓપરેશન બ્લુસ્ટાર છે.
તમને જણાવી દઈએ કે ખાલિસ્તાની આતંકવાદીઓને પાઠ ભણાવવા માટે અમૃતસરમાં ઓપરેશન બ્લુસ્ટાર કરવામાં આવ્યું હતું,આ ઓપરેશનમાં આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાનવાલે માર્યો ગયો હતો.
પન્નુ ભારતને પોતાનો દુશ્મન માને છે. ભારતમાં પન્નુ વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે. વર્ષ 2020માં પન્નુને UAPAની કલમો હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.
આમ,ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓકી મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી ભગવાન શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને મુસ્લિમો વિરુદ્ધ મોદીનું ઓપરેશન બ્લુસ્ટાર ગણાવ્યું છે.