પાકિસ્તાની અમેરિકન બિઝનેસમેન સાજિદ તરારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે અને સાથેજ તેઓએ દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બનશે.

પાકિસ્તાની મૂળના જાણીતા અમેરિકન ઉદ્યોગપતિ સાજિદ તરારેએ કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક મજબૂત નેતા છે જેમણે ભારતને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે અને તેઓ ત્રીજી વખત દેશના વડા પ્રધાન બનશે.
અમેરિકાના બાલ્ટીમોરમાં રહેતા પાકિસ્તાની-અમેરિકન બિઝનેસમેન સાજિદ તરારએ કહ્યું કે મોદી માત્ર ભારત માટે જ નહીં પણ વિશ્વ માટે પણ સારા નેતા છે,તેમણે આશા વ્યક્ત કરી કે પાકિસ્તાનને પણ તેમના જેવો નેતા મળે.

તરારે ઉમેર્યુ કે તેઓ એવા વડાપ્રધાન છે જેમણે પ્રતિકૂળ સંજોગોમાં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. મને આશા છે કે મોદીજી પાકિસ્તાન સાથે વાતચીત અને વેપાર શરૂ કરશે.

એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, “શાંતિપૂર્ણ માહોલ પાકિસ્તાન અને ભારત માટે સારો રહેશે.”

તેમણે કહ્યું કે દરેક જગ્યાએ એવું સાંભળવા મળી રહ્યું છે કે “મોદીજી ભારતના આગામી વડાપ્રધાન બનશે”
તરાર 1990ના દાયકામાં અમેરિકા આવ્યા હતા અને પાકિસ્તાનમાં સત્તા પર રહેલા લોકો સાથે તેમના સારા સંપર્કો છે.
તેમણે કહ્યું, “આ કોઈ ચમત્કારથી ઓછું નથી કે ભારતમાં 97 કરોડ લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
ભારત સૌથી મોટી લોકશાહી છે. હું ત્યાં મોદીજીની લોકપ્રિયતા જોઈ રહ્યો છું અને હું 2024માં ભારતનો શાનદાર ઉદય જોઈ રહ્યો છું.
તમે ભવિષ્યમાં જોશો કે લોકો ભારતીય લોકશાહીમાંથી શીખશે.

એક પ્રશ્નના જવાબમાં તરારે કહ્યું, પાકિસ્તાન હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, જેના કારણે PoK સહિત દેશના ઘણા ભાગોમાં સામાજિક તણાવ પણ ચાલી રહ્યો છે. તરારે કહ્યું કે પાકિસ્તાનમાં મોંઘવારી ઘણી છે. પેટ્રોલના ભાવ ઉચ્ચ સ્તરે છે. વીજળી પણ મોંઘી થઈ ગઈ છે. અમે નિકાસ કરી શકતા નથી. તેમણે કહ્યું, પીઓકેમાં મુખ્યત્વે મોંઘી વીજળીને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે,આટલું જ નહીં, તરારે કહ્યું કે, જમીનના પ્રશ્નોનું નિરાકરણ નથી આવી રહ્યું તેમજ નિકાસ કેવી રીતે વધારવી જોઈએ? આતંકવાદને કેવી રીતે નિયંત્રિત કરવો અને કાયદો અને વ્યવસ્થા કેવી રીતે સુધારવી વગરે પ્રશ્નો પાકિસ્તાનમાં ઉભા છે.