યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોની હત્યાના કાવતરા મામલે ભારત સામે થયેલા આક્ષેપો અંગે સ્પષ્ટતા કરતા વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે આ બે મુદ્દાઓ સમાન નથી તેમણે કહ્યું કે આ આરોપો વચ્ચેના તફાવતને સમજાવો જરૂરી છે.
17 ડિસેમ્બરને રવિવારે આ અંગે નિવેદન આપતા જય શંકરે કહ્યું કે, ભારત અન્ય દેશો દ્વારા ઉઠાવવામાં આવેલા ચોક્કસ મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે હંમેશા તૈયાર રહે છે અને માત્ર કેનેડા જ નહીં, પરંતુ કોઈપણ દેશને કોઈ ચિંતા કે ડાઉટ હોયતો અમને તે માટેના કોઈ ચોક્કસ ઈનપુટ અથવા કોઈ આધાર પુરાવા આપે તો અમે હંમેશા તે મુદ્દા સંબંધી વિચાર કરવા તૈયાર છીએ અને બધાજ દેશો આ કરે છે.
![](https://b3037968.smushcdn.com/3037968/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-18-at-11.41.49_f1b412ab-jpg.webp?lossy=2&strip=1&webp=1)
વિદેશ મંત્રીએ કહ્યું કે, અમેરિકાએ કેટલાક મુદ્દા ઉઠાવ્યા હતા, પરંતુ એ જરૂરી નથી કે બંને મુદ્દા સમાન હોય. જ્યારે તેઓએ તે મુદ્દો ઉઠાવ્યો, ત્યારે અમેરિકાએ અમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવી.
આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સમયાંતરે આવા પડકારો ઉભા થઈ શકે છે તેથી અમે કેનેડિયનોને કહ્યું છે કે, જુઓ, તે તમારા પર છે કે તમે તેને આગળ લઈ જવા માંગો છો કે નહીં, અમે તેને આગળ જોઈએ કે નહીં.
ખાલિસ્તાન સમર્થકોની હત્યાના કાવતરાના આરોપો અંગે એસ જયશંકરે ઉમેર્યું કે જો કોઈ દેશ અમને તેની ચિંતાઓ અંગે કંઈક આઉટપુટ આપે છે, તો અમે તેના પર વિચાર કરીશુ કારણ કે ભારત એક જવાબદાર દેશ છે.
યુનાઇટેડ સ્ટેટ્સે ભારતને ખાલિસ્તાન અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના નિષ્ફળ કથિત કાવતરાની તપાસમાં મદદ કરવા કહ્યું છે, એમ તેમણે બેંગલુરુમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) એ નિખિલ ગુપ્તા નામના વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
જેમાં ભારત સરકારના એક કર્મચારી પર ખાલિસ્તાન સમર્થક અલગતાવાદીને મારવા માટે પેઇડ કિલરને હાયર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેના જવાબમાં, વિદેશ મંત્રાલયે ષડયંત્રમાં તેના સરકારી અધિકારીની કથિત સંડોવણી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ભારત અમેરિકાની ચિંતાઓની તપાસ કરશે
રિપોર્ટ અનુસાર, આ મહિનાની શરૂઆતમાં ભારતે કહ્યું હતું કે, તે અમેરિકા દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓની તપાસ કરશે. બંને દેશો વચ્ચે આ મુદ્દે ઘણી વખત ચર્ચા થઈ છે. કેન્દ્ર સરકારે આ મામલે તપાસ સમિતિની રચના કરી છે.
પીટીઆઈના અહેવાલ મુજબ ગુપ્તાની યુએસની વિનંતી પર 30 જૂને ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. યુએસ સરકારે આ મહિનાની શરૂઆતમાં પાંચ ભારતીય-અમેરિકન ધારાશાસ્ત્રીઓને ગુપ્તાના આરોપ અંગે માહિતી આપી હતી.
આ કેસમાં, યુએસએ કહ્યું, “અમે હત્યાના કાવતરાની તપાસ કરવા માટે તપાસ સમિતિની ભારત સરકારની જાહેરાતને આવકારીએ છીએ, અને તે મહત્વપૂર્ણ છે કે ભારત સંપૂર્ણ તપાસ કરે, ભારત સરકારના અધિકારીઓ સહિત જવાબદારોને પકડે, જવાબદાર અને આપે. ખાતરી આપો કે આવું ફરી નહીં થાય.”
તાજેતરમાં કેનેડાએ ભારતીય એજન્ટો પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. જોકે, ભારતે આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે કેનેડાએ આરોપો અંગે કોઈ આધારભૂત પુરાવા આપ્યા નથી.