ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચો માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેર

જેમાં 16 સભ્યોની ટીમમાં ત્રણ વિકેટકીપર કેએલ રાહુલ, કેએસ ભરત ઉપરાંત ધ્રુવ જુરેલની પસંદગી કરવામાં આવી છે.
ડોમેસ્ટિક ક્રિકેટમાં જુરેલ ઉત્તર પ્રદેશ તરફથી રમે છે.
ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઘૂંટણની ઈજાથી પીડાઈ રહ્યો હોય ટીમમાં સામેલ કરાયો નથી.
ભારત ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે જેમાં પ્રથમ ટેસ્ટ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાશે જ્યારે 15 ફેબ્રુઆરીથી ત્રીજી ટેસ્ટ રાજકોટમાં રમાશે

-ઇંગ્લેન્ડ સામે પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમમાં નીચે મુજબના ખેલાડીઓનો સમાવેશ કરાયો છે.

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યસસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, કેએસ ભરત, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બુમરાહ (વાઇસ કેપ્ટન), અવેશ ખાન.