રિષભ પંતને આરામ અપાયો, 2 મેચની t20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, આયર્લેન્ડ સામેની શ્રેણી બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ જવા રવાના થશે.

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમમાં સંજુ સેમસનની વાપસી થઈ છે. જ્યારે આ સિરીઝમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમના કેપ્ટન હશે. આયર્લેન્ડ સામેની શ્રેણી બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ જવા રવાના થશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 જુલાઈથી એજબેસ્ટનમાં ટેસ્ટ મેચ રમાશે. હાલમાં 4 મેચ બાદ ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે.

આયર્લેન્ડ સામે રાહુલ ત્રિપાઠીની પસંદગી
આયર્લેન્ડ સામેની શ્રેણી માટે ભારતીય ટીમમાં રાહુલ ત્રિપાઠીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે IPL 2022માં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન ભારતીય ટીમમાં પાછો ફર્યો છે. આયર્લેન્ડ સામેની શ્રેણી બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ જવા રવાના થશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 જુલાઈથી એજબેસ્ટનમાં ટેસ્ટ મેચ રમાશે.

ભારતીય ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ અય્યર, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, હર્ષલ પટેલ, અવેશ ખાન, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.