બાંગ્લાદેશ દેશમાં શેખ હસીના ફરી એકવાર વડાપ્રધાન બનવા જઈ રહયા છે.

રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી અવામી લીગે 300 બેઠકોમાંથી બે તૃતિયાંશ બેઠકો જીતી લેતા તેઓ વિજેતા બનતા ફરી સત્તા ઉપર આવ્યા છે.

જોકે,બીએનપીના બહિષ્કાર વચ્ચે યોજાયેલી આ ચૂંટણીઓ માટે અમેરિકાએ કહ્યું કે તે મુક્ત અને ન્યાયી ન ગણાવી શકાય.

જ્યારે ભારતે બાંગ્લાદેશમાં શાંતિપૂર્ણ સામાન્ય ચૂંટણીની પ્રશંસા કરી હતી.
ભારતના ચૂંટણી પંચના ત્રણ સભ્યોના પ્રતિનિધિમંડળે સોમવારે બાંગ્લાદેશની પૂર્ણ થયેલી ચૂંટણીના શાંતિપૂર્ણ સંચાલન માટે પ્રશંસા કરી હતી.

જ્યારે યુએસએ હજારો રાજકીય વિપક્ષી સભ્યોની ધરપકડ પર ચિંતા વ્યક્ત કરી અને ભારપૂર્વક જણાવ્યું કે આ ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી નથી. અમેરિકાએ ખેદ વ્યક્ત કર્યો કે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીમાં ભાગ લીધો ન હતો.

બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ એકતરફી ચૂંટણીમાં સતત ચોથી વાર જીત મેળવી છે. તેમના વિરોધીઓ દ્વારા બહિષ્કાર કરાયેલી ચૂંટણીમાં તેમની અવામી લીગ પાર્ટીએ સંસદની અડધાથી વધુ બેઠકો જીતી લીધી હતી. આ તેમનો અત્યાર સુધીનો પાંચમો કાર્યકાળ હશે.
તે પાંચમી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે.