હુમલા બાદ આતંકીઓના જૂથને શોધવા માટે સેનાએ મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું

જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં આતંકવાદી હુમલામાં બલિદાન આપનાર પાંચ સૈનિકોમાંથી એક લાન્સ નાઈક કુલવંત સિંહે પોતાના પિતાની જેમ શહીદી મેળવી હતી. કુલવંત સિંહના પિતાએ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન દેશ માટે પોતાનો જીવ આપી દીધો હતો.

તેમના પિતાએ કારગીલની ઊંચાઈમાં સર્વોચ્ચ બલિદાન આપ્યાના 11 વર્ષ બાદ તેઓ 2010માં સેનામાં જોડાયા હતા. લાન્સ નાઈક કુલવંત સિંહની માતાએ કહ્યું કે, ‘જ્યારે મારો દીકરો સેનામાં જોડાવા માટે ઘર છોડ્યો ત્યારે તેણે મને કહ્યું કે તેને કંઈ થશે નહીં અને બધું સારું થઈ જશે. કુલવંતની માતાએ લગભગ 24 વર્ષ પહેલા કારગિલ યુદ્ધમાં તેના પતિ બલદેવ સિંહને ગુમાવ્યા હતા.

ફોન પર પત્ની સાથે છેલ્લી વાત શું થઈ ?

કુલવંતની પત્ની હરદીપ કૌરે જણાવ્યું કે, ‘કુલવંતે તેમની શહીદીના એક દિવસ પહેલા તેમને ફોન કર્યો અને તેમના પુત્રને સમયસર રસી અપાવવા માટે કહ્યું. તેમના પરિવારમાં માતા, પત્ની, દોઢ વર્ષની પુત્રી અને ચાર માસનો પુત્ર છે. કુલવંત તેના ગામનું ઘર ફરીથી બનાવવાનું વિચારી રહ્યો હતો કારણ કે તેનું ઘર ઘણું જૂનું થઈ ગયું હતું.

કુલવંત સિંહ એક માત્ર કમાનાર હતો

કુલવંતને દોઢ વર્ષની પુત્રી અને ત્રણ માસનો પુત્ર છે, જે મોગાના ચડીક ગામમાં રહે છે. ગામના સરપંચે કહ્યું કે કુલવંત પરિવારનો એકમાત્ર કમાતો સભ્ય હતો, તેથી સરકારે તેના પરિવારને દરેક શક્ય રીતે મદદ કરવા આગળ આવવું જોઈએ.

આતંકી હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા

ગુરુવારે (20 એપ્રિલ), અજાણ્યા આતંકવાદીઓએ રાજૌરી સેક્ટરમાં ભીમ્બર ગલી અને પુંછ વચ્ચેથી પસાર થતા આર્મી વાહન પર ગોળીબાર કર્યો હતો. આ આતંકી હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે લશ્કરના શંકાસ્પદ આતંકવાદીઓએ ગ્રેનેડની મદદથી સેનાની ટ્રકમાં આગ લગાવી દીધી.