ઇમિગ્રેશન મંત્રી ક્રિસ ફફોઇનો ટિપ્પણી કરવા ઇનકાર

સ્કીલ્ડ માઈગ્રન્ટ વિઝામાં વધારો થઇ શકે તેવો ઇમિગ્રેશન નિષ્ણાતોનો મત

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ઇમિગ્રેશન મંત્રી ક્રિસ ફફોઇ સ્કિલ્ડ માઇગ્રન્ટ પાથ વે ફરી ક્યારે ખુલશે તે અંગે મહિનાઓની અટકળો બાદ કોઇપણ નીતિની જાહેરાત પર ટિપ્પણી કરવાનો ઇનકાર કરી રહ્યા છે.
હાલના હજારો માઇગ્રંટ્સ કે જેઓ કાયમી ધોરણે ન્યુઝીલેન્ડમાં સ્થાયી થવા ઈચ્છે છે તે લોકો નવી નીતિની  રાહ જોઈ રહ્યા છે કે સરકાર રેસીડેન્સી માટે કોણ લાયક છે તેના નિયમોમાં ફેરફાર કરશે કે કેમ?
ઇમિગ્રન્ટ્સ નિષ્ણાતો SMC વિઝા માટે સ્થળાંતર કરનારાઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના દર્શાવે છે અને અન્ય લોકો લાંબા સમયથી કામ કરતા કર્મચારીઓ માટે હાલના વિઝાની તર્જ પર વ્યાપક કામથી માઇગ્રન્ટ્સ પોલિસીની હાકલ કરી રહ્યા છે.
ડોકટરો અને નર્સો સહિત અત્યંત કુશળ કર્મચારીઓની હિજરત અટકાવવા માટે સરકાર અને ઇમિગ્રેશન મંત્રી પર જાહેરાત કરવા દબાણ વધી રહ્યું છે. નેશનલ ઇમિગ્રેશન પ્રવક્તા એરિકા સ્ટેનફોર્ડે જણાવ્યું હતું કે સરકાર દ્વારા બનાવેલી કુશળતાની અછતમાંથી બહાર આવવાનો એકમાત્ર રસ્તો તેના ઇમિગ્રેશન ‘રીસેટ’ પર પાછા ફરવું તે જ દેખાઈ રહ્યો છે.