ઓટાવા નજીક રોકલેન્ડમાં બની ઘટના, શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો, ધર્મેશ કથીરીયાની ભરબપોરે હત્યાથી ખળભળાટ

કેનેડામાં ગુજરાતના સુરતના યુવાનની ભર બપોરે હત્યા કરાવતા ખળભળાટ મચી ગયો છે. ભોગ બનનાર યુવાનની ઓળખ ધર્મેશ કથીરિયા તરીકે કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે ઓટાવા નજીક રોકલેન્ડમાં એક ભારતીય નાગરિકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં એક શંકાસ્પદ આરોપીની અટકાયત કરવામાં આવી છે.
ઓટાવામાં ભારતીય દૂતાવાસે કહ્યું કે તે પીડિત પરિવારના સંપર્કમાં છે. કેનેડામાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું: “ઓટાવા નજીક રોકલેન્ડમાં છરાબાજીથી થયેલા ભારતીય નાગરિકના દુ:ખદ મૃત્યુથી અમને ખૂબ જ દુઃખ થયું છે. પોલીસે જણાવ્યું હતું કે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અમે શોકગ્રસ્ત પરિવારને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા માટે સ્થાનિક સમુદાય સંગઠન દ્વારા નજીકના સંપર્કમાં છીએ.”
મૃત્યુનું કારણ જાહેર નથી
ઓન્ટારિયો પ્રાંતીય પોલીસે રેડિયો-કેનેડાને જણાવ્યું હતું કે આ ઘટના બપોરે 3 વાગ્યા પહેલા લાલોન્ડે સ્ટ્રીટ નજીક બની હતી. શુક્રવાર, સીબીએસ અહેવાલ આપે છે. હાલમાં પોલીસે હજુ સુધી મૃત્યુનું કારણ જાહેર કર્યું નથી. કસ્ટડીમાં લેવાયેલી વ્યક્તિ સામે કોઈ આરોપો દાખલ કરવામાં આવશે કે નહીં તે પણ તેમાં જણાવવામાં આવ્યું નથી.
દરમિયાન, ઓન્ટારિયો પ્રાંતીય પોલીસે રોકલેન્ડના રહેવાસીઓને આ વિસ્તારમાં વધતી હાજરી અંગે ચેતવણી આપી હતી. તમને જણાવી દઈએ કે કેનેડામાં અગાઉ પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં એક વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. જોકે, પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી.
હ્યુમન ફોર હાર્મની સંસ્થાના સંસ્થાપક ડોન પટેલે જણાવ્યું હતું કે ભારતીય યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત સમુદાયમાં પડ્યા છે. ભર બપોરે આ પ્રકારની હત્યાથી સમૂદાય દુઃખની લાગણી અનુભવી રહ્યો છે અને ફરી એકવાર ભારતીયોની સુરક્ષા સામે પણ સવાલ ઊભા થયા છે. ધર્મેશ 2019 માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. ધર્મેશ મિલાનોમાં મેનેજર તરીકે જોબ કરતો હતો. હાલ તેની પત્ની રવિના શોકમાં ગરકાવ છે.

કેનેડામાં એક ભારતીય નાગરિકની હત્યાના સમાચાર છે. કેનેડામાં ભારતીય દૂતાવાસે શનિવારે જણાવ્યું હતું કે ઓટાવા નજીક રોકલેન્ડમાં એક ભારતીય નાગરિકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. દૂતાવાસ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, સ્થાનિક પોલીસે હુમલાના સંબંધમાં એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. આ ઘટના પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી.
કેનેડામાં કેટલા ભારતીયો રહે છે?
જો આપણે કેનેડામાં રહેતા ભારતીયોના આંકડા જોઈએ તો તે ૧૬,૮૯,૦૫૫ ની આસપાસ છે. આ સત્તાવાર આંકડો વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવ્યો છે. કેનેડામાં રહેતા મોટાભાગના ભારતીયો ઓન્ટારિયો અને બ્રિટિશ કોલંબિયામાં રહે છે. કેનેડામાં ભારતીયોની વસ્તી વધવા પાછળનું એક મુખ્ય કારણ એ છે કે લોકો ભારતમાંથી સ્થળાંતર કરી રહ્યા છે. કેનેડામાં રહેતા ભારતીયોએ બાંધકામ, પરિવહન અને બેંકિંગ ક્ષેત્રોમાં ખૂબ જ યોગદાન આપ્યું છે. કેનેડામાં રહેતા ભારતીયોમાં શીખો સૌથી વધુ વસ્તી ધરાવે છે. હિન્દુ ધર્મ અહીં ત્રીજા ક્રમે છે.