મેઘાણીનગર વિસ્તારમાં વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત, પ્રાથમિક માહિતી અનુસાર 100ના મોત, અમદાવાદ સિવિલમાં ભારે ગમગીની

**EDS: VIDEO GRAB**Ahmedabad: Smoke billows after a plane crashed near Ahmedabad airport, Thursday, June 12, 2025. (PTI Photo)(PTI06_12_2025_000070A)

ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે Air India નું પ્લેન ક્રેશ થયાનું સામે આવ્યું છે. આ તરફ હવે ફ્લાઈટ લંડન તરફ જઈ રહી હતી ત્યારે માત્ર બે જ મિનિટમાં ટેકઓફ બાદ ક્રેશ થયું હતું. અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. પ્રાથમિક વિગતો મુજબ 50 જેટલા લોકોના મોત થયા છે.

ગુજરાતના અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. માહિતી અનુસાર, લંડન જઈ રહેલા આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. માહિતી અનુસાર, વિજય રૂપાણી પણ આ વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયા હોવાની સંભાવના છે.

અમિત શાહે મુખ્યમંત્રી CM, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશનર સાથે વાત કરી
ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશનર સાથે વાત કરી છે. તેમજ કેન્દ્ર સરકારમાંથી તમામ મદદની ખાતરી આપી હતી.

આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું. ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે. જેને પગલે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.