વડગામ, વેજલપુર અને સિદ્ધપુર બેઠક માટે ઉમેદવારોનું કર્યું એલાન

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) એ બુધવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે વધુ ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી છે. AIMIM દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ કલ્પેશભાઈ સુંધિયા વડગામથી, અબ્બાસભાઈ નોડસોલા સિદ્ધપુર વિધાનસભા બેઠક પરથી અને જૈન બીબી શેખ વેજલપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

AIMIM એ અત્યાર સુધી ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 14 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. વડગામ એક અનામત બેઠક છે, જ્યાંથી કોંગ્રેસના યુવા નેતા જિજ્ઞેશ મેવાણી ચૂંટણી લડશે, મેવાણી પણ વર્તમાન ધારાસભ્ય છે. બીજી તરફ બડગામથી ભાજપે મણિ વાઘેલાને અને આમ આદમી પાર્ટીએ દલપત ભારતીયને મેદાનમાં ઉતાર્યા છે.

કલ્પેશ ભાઈ સુંધિયા અન્ય હિન્દુ ઉમેદવાર
AIMIM તરફથી કલ્પેશ ભાઈ સુંધિયા બીજા હિંદુ ઉમેદવાર છે, જ્યારે પાર્ટી તરફથી પ્રથમ ઉમેદવાર કૌશિકા પરમાર છે જે દાણીલીમડા વિધાનસભાથી ચૂંટણી લડી રહ્યા છે. દાણીલીમડા અનામત બેઠક છે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભા માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. અને ચૂંટણીના પરિણામો 8મી ડિસેમ્બરે આવશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે, જ્યારે બાકીની બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે.