ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર 19મી (NAM)ની બે દિવસીય શિખર સંમેલન સમિટમાં ભાગ લેવા યુગાન્ડાની રાજધાની કમ્પાલા પહોંચ્યા છે.
દરમિયાન, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે યુગાન્ડાના કમ્પાલામાં માલદીવના વિદેશ મંત્રી મુસા જમીર સાથે મુલાકાત કરી હતી.
વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત-માલદીવ સંબંધો પર વાતચીત થવા સાથે NAM સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી.
બેઠકનોનો ફોટો શેર કરતા જયશંકરે સોશિયલ મીડિયા પર કહ્યું કે તેઓ માલદીવના વિદેશ મંત્રી મૂસાજામીરને મળ્યા હતા,અમે બંને દેશો વચ્ચેના સંબંધો પર ખુલીને ચર્ચા કરી. જયશંકરે ઇજિપ્તના વિદેશ મંત્રી સમેહ શૌકરી સાથે ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચર્ચા કરી હતી. અંગોલાના વિદેશ મંત્રી ટેટે એન્ટોનિયો અને બેલારુસના વિદેશ મંત્રી સર્ગેઈ એલેનિક સાથે થયેલી બેઠકો અંગે જયશંકરે કહ્યું કે આ બેઠક ઘણી સારી સાબિત થઈ છે.
અમે એકબીજાના સહકાર વિશે વિસ્તૃત વાત કરી,સાથે જ તેમણે ભારતીયો માટે વિઝા ફ્રી સુવિધા શરૂ કરવા બદલ બેલારુસનો આભાર માન્યો હતો.