આજે (6 ફેબ્રુઆરી) દિલ્હીમાં મની લોન્ડરિંગ કેસમાં 12 થી વધુ સ્થળો પર EDના દરોડાની કાર્યવાહી ચાલુ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર AAPના રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તાના ઘરે EDના દરોડા ચાલુ છે.

આ ઉપરાંત સીએમ અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવ બિભવ કુમારના સ્થાન પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ સિવાય દિલ્હી જલ બોર્ડના પૂર્વ સભ્ય શલભના ઘરે પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે 10 વાગ્યે દિલ્હી સરકારના મંત્રી આતિષીની પ્રેસ કોન્ફરન્સ યોજાવાની હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી આમ આદમી પાર્ટીના નેતાઓ અને તેમની સાથે જોડાયેલા લોકોના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ઈડીએ મની લોન્ડરિંગના કયા કેસમાં દરોડા પાડ્યા છે.
આ દરોડા ભાજપના ઈશારે AAP નેતાઓ પર દબાણ બનાવવાના પાડવામાં આવી રહ્યા હોવાનું માનવામાં આવે છે.
શિવસેના યુબીટીના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે આમ આદમી પાર્ટીના નેતાઓના ઘર પર EDના દરોડા પર કેન્દ્ર સરકાર અને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, ‘આ પણ લોકશાહીની હત્યા છે. દેશમાં કોઈ સરકાર વિરુદ્ધ બોલે તો ઈડી તેના ઘરે પહોંચી જાય છે. લોકશાહીની હત્યા માત્ર ચંદીગઢમાં જ નથી થઈ, સમગ્ર દેશમાં થઈ છે.
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ આવું બન્યું છે.સુપ્રીમ કોર્ટ લોકશાહીની હત્યા કરવાની વાત કરે છે, પરંતુ લોકશાહી બચાવવા માટે કંઈ કહેતી નથી. તે શું કરી રહી છે?આ જનતાનો પ્રશ્ન છે.