પોતાના ટ્વિટર હેન્ડલમાં ડીજી વણઝારાએ પોસ્ટ મૂકીને વિધાનસભાની ચૂંટણી લડવાનો ઇશારો કર્યો,
વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષ સાથે જોવા મળી શકે 

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
પૂર્વ IPS ઓફિસર અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ડીજી વણઝારાએ ટૂંક સમયમાં પોતાનો રાજકીય પક્ષ શરૂ કરવાની જાહેરાત કરી છે. ડીજી વણઝારાએ રવિવારે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

ટ્વીટમાં વણઝારાએ કહ્યું કે ગુજરાતમાં એક નવો રાજકીય વિકલ્પ ઉભો થવાનો છે, જે ડિસેમ્બરમાં જીતશે અને લોકશાહીની સ્થાપના કરશે. ગુજરાત નવા આદર્શો અમલમાં મૂકશે. તેમણે કહ્યું કે ગુજરાતમાં એક નવો રાજકીય વિકલ્પ શરૂ થવા જઈ રહ્યો છે, જે ડિસેમ્બર 2022માં જીતશે અને રાજસત્તાની સાથે ધર્મસત્તાની સ્થાપના કરશે. મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને યહૂદીઓના દેશોમાં રાજ્ય અને ધર્મ સક્રિય છે તો ભારતમાં કેમ નહીં. તેનો જવાબ ગુજરાતની જનતા આપશે. ગુજરાત નવા આદર્શને અનુસરશે.

તેમણે કહ્યું કે રાજનીતિની સાથે ધર્મની રક્ષા કરવી જરૂરી છે, તેથી અમે એક રાજકીય પક્ષ શરૂ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ આ પાર્ટી શરૂ કરવામાં આવશે, જે સાચા લોકશાહીના ઉદ્દેશ્ય સાથે શાસક પક્ષની સામે ઉભી રહેશે.