દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ સીએમ અરવિંદ કેજરીવાલે EDની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે જેની સુનાવણી સોમવારે થશે.

સુપ્રીમ કોર્ટમાં સોમવારે (15 એપ્રિલ) ED દ્વારા ધરપકડને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજી પર જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચ આ કેસની સુનાવણી કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ દિલ્હી હાઈકોર્ટે મંગળવારે કેજરીવાલની ધરપકડને ગેરકાયદેસર ગણાવતી અરજી ફગાવી દીધી હતી અને ધરપકડને કાયદેસર જાહેર કરી હતી. હાઈકોર્ટે કેજરીવાલની એ દલીલને પણ ફગાવી દીધી હતી કે રાજકીય દુશ્મનાવટના કારણે ચૂંટણી દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી.