તિહાર જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની તબિયત બગડી છે.
દિલ્હી સરકારના મંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે.

આતિશીએ X પર પોસ્ટ કરીને લખ્યું, ‘અરવિંદ કેજરીવાલ ગંભીર ડાયાબિટીસના દર્દી છે.
સ્વાસ્થ્ય સમસ્યાઓ હોવા છતાં, તેઓ 24 કલાક દેશની સેવામાં રોકાયેલા રહ્યા.
ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલનું વજન 4.5 કિલો ઘટી ગયું છે. આ ખૂબ જ ચિંતાજનક છે. આજે ભાજપ તેમને જેલમાં નાખીને તેમનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકયું છે.
જો અરવિંદ કેજરીવાલને કંઈક થઈ જશે તો સમગ્ર દેશતો શું ભગવાન પણ તેમને માફ નહીં કરે.

આમ આદમી પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે તિહાર જેલમાં કેજરીવાલનું વજન ઝડપથી ઘટી રહ્યું છે.
ધરપકડ બાદ તેમનું સાડા ચાર કિલો વજન ઘટ્યુ છે. ઝડપથી ઘટી રહેલા વજનને લઈને ડૉક્ટરોએ ચિંતા વ્યક્ત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે EDએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી.