દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા કેજરીવાલે ED કસ્ટડીમાંથી પોતાનો પહેલો આદેશ જારી કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રીનો આ આદેશ દિલ્હી સરકારના જળ મંત્રાલય સાથે સંબંધિત છે. કેજરીવાલે નોટ દ્વારા આદેશ જારી કર્યો છે.

દિલ્હીના જળ મંત્રી આતિશી સવારે 10 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં આ ઓર્ડર વિશે માહિતી આપી શકાશે.

દારૂ કૌભાંડ કેસમાં કોર્ટમાંથી રાહત ન મળતાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને છ દિવસના રિમાન્ડ પર છે. બીજી તરફ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી આજે રવિવારે સમગ્ર દિલ્હીમાં વિરોધ પ્રદર્શન સહિત હોલિકા દહન સમયે પૂતળાનું દહન અને કેન્ડલ માર્ચ કાઢવા જેવા કાર્યક્રમો જાહેર કર્યા છે.