સમગ્ર ભારતભરમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ઉત્સાહનો માહોલ છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ દિવસે સરકારી કચેરીમાં અડધા દિવસની રજા જાહેર કરી છે ત્યારે ગુજરાત સરકારે પણ રાજયમાં અડધા દિવસની રાજા જાહેર કરી છે.
સરકારી પરિપત્રમાં જણાવ્યા મુજબ રાજય સરકારની તમામ કચેરીઓ તથા સરકારની તમામ સંસ્થાઓમાં 2:30 સુધી બંધ રહશે.

આગામી તા. 22/01/2024ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઇ શકે તે હેતુસર તા. 22/01/2024 સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2.30 સુધી બંધ રહેશે.
ઉત્તર પ્રદેશમાં તમામ ઓફિસો, શાળાઓ, કોલેજોને સજાવટ કરવાનો સરકારે આદેશ આપ્યો છે યુપીમાં 22મી જાન્યુઆરીએ દિવાળીની જેમજ પ્રાણ પ્રતિષ્ઠા તહેવારની ભવ્ય ઉજવણી થશે.