પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી શાહજહાં શેખની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓની ટીમ પર હુમલા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા શેખ ફરાર થઈ ગયો હતો.
કલકત્તા હાઈકોર્ટના આદેશ પર પોલીસે તેની ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યું કે શાહજહાં શેખ ઉત્તર 24 પરગણા જિલ્લાના મીનાખામાં એક ઘરમાં છુપાયો હતો, જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓનું યૌન ઉત્પીડન કરવાના આરોપી TMC નેતા શેખ શાહજહાંની પોલીસે ઉત્તર 24 પરગણાના મીનાખાન વિસ્તારમાંથી તેની ધરપકડ કર્યા બાદ આજે તેને બસીરહાટ કોર્ટમાં હાજર કરાયો હતો જ્યાં કોર્ટમાં તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
તે 55 દિવસથી ફરાર હતો. આજે તેને બસિરહાટ કોર્ટમાં લઇ જવાયો જ્યાં શાહજહાં શેખના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કેબજિલ્લાના સંદેશખાલીની મહિલાઓએ શાહજહાં શેખ અને તેના સમર્થકો પર યૌન શોષણ અને જમીન પટ્ટા પચાવી પાડવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યના એડવોકેટ જનરલની અરજી પર હાઈકોર્ટે ગયા સોમવારે શાહજહાં શેખની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.

જસ્ટિસ ટીએસ શિવગનમની સિંગલ બેન્ચે 7 ફેબ્રુઆરીના તેના આદેશમાં ED અધિકારીઓ પરના હુમલાની તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને પશ્ચિમ બંગાળ પોલીસની સંયુક્ત વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના પર રોક લગાવી હતી.
બાદમાં કોર્ટને જાણવા મળ્યું કે શેખ લાંબા સમયથી ફરાર હતો. જે બાદ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે CBI અને ED શેખની ધરપકડ કરવા માટે સ્વતંત્ર છે.

આ પહેલા બુધવારે હાઈકોર્ટે દિલ્હીથી આવેલી ફેક્ટ ફાઈન્ડિંગ ટીમને સંદેશખાલીની મુલાકાત લેવાની મંજૂરી આપી હતી.
ગત રવિવારે સમિતિના પ્રતિનિધિઓએ સંદેશખાલી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેમને અધવચ્ચે જ અટકાવ્યા હતા. કમિટીએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. આ પછી હાઈકોર્ટના જસ્ટિસ કૌશિક ચંદ્રાની ડિવિઝન બેંચે તેમને સંદેશખાલી જવાની મંજૂરી આપી હતી.

દરમિયાન,રાજ્યની વિપક્ષ ભાજપ દ્વારા આ મુદ્દે સરકાર પર સતત પ્રહારો કરી સંદેશખાલીમાં કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિ અને TMC નેતાઓના કથિત અત્યાચાર સામે તેમનો વિરોધ ચાલુ છે.
પાર્ટીના રાજ્ય એકમના ટોચના નેતાઓએ બુધવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ધરણા શરૂ કર્યા.
આ દરમિયાન ભાજપના પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યએ કહ્યું કે બંગાળમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે.