ગુજરાતમાં આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો લાગી શકે છે. જ્યાં એક ધારાસભ્ય હાલ પોલીસ કેસને પગલે ગાયબ છે ત્યાં બીજા ધારાસભ્ય ભાજપમાં જોડાવવા જઇ રહ્યા છે. આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્ય પૈકી વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યની વિકેટ આજે ખરી પડે એવી સંભાવના છે. વિસાવદર બેઠકના આમ ભુપત ભાયાણી આજે વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ ભુપત ભાયાણી આ અંગે કંઈ કહેવા તૈયાર નથી. તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવા છતા તેમની સાથે વાતચીત થઈ શકી નહોતી.

આ પહેલા ગયા વર્ષે પણ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાવવાના હતા પરંતુ